________________
૭૪
જ્ઞાનસાર
શુદ્ધ પર્યાયના પણ બે પ્રકાર બતાવવામાં આવે છે. અર્થપર્યાય અને વ્યંજન પર્યાય. વર્તમાનકાળના પર્યાય તે અર્થપર્યાય અને àકાલિક પર્યાય તે વ્યંજન પર્યાય. (ઉ. ત. ઘડો તે અર્થપર્યાય અને માટી તે વ્યંજન પર્યાય) અથવા વ્યંજન એટલે અક્ષરો-શબ્દોનો વાચ્યાર્થ અને અર્થ એટલે ભાવાર્થ એમ લઈએ તો આત્મસ્વરૂપ વિશેની યથાર્થ સમજણ તે વ્યંજન પર્યાય અને તેની શુદ્ધ પર્યાયોનું પરિણમન તે અર્થપર્યાય.
આથી જ સાધકો સર્વસંગપરિત્યાગી થઈને, એકાકી વિચરતા હોય છે. તેઓ આત્માના ગુણપર્યાયમાં રમણતા કરે છે. પોતાના દ્રવ્યમાં, ગુણોમાં અને પર્યાયમાં વિચરવું અર્થાત્ એમાં રમણતાનો અનુભવ કરવો એવા આ મુષ્ટિજ્ઞાન દ્વારા તેઓ આત્માને સંતુષ્ટ કરે છે. [૩૮] ગતિ વેત્ સ્થિમજ્ઞાનં વિં વિસ્તર્યાત્રા
પ્રવીપાક વવોપયુજેનો તમોદની દૃષ્ટિદેવ વેત્ ા ા વ્ | [શબ્દાર્થ અસ્તિ=છે; વે=જો; સ્થિમજ્ઞાન=ગ્રંથિભેદથી થયેલું જ્ઞાન; fi=શું કામ છે ? ચિત્ર =વિવિધ પ્રકારનાં; તંત્રયંત્ર: શાસ્ત્રના બંધનોનું; પ્રવી: =દીવાઓ; વેવ ક્યાં; ૩પયુન્ત–ઉપયોગી થાય; તમોખી અંધકારને હણનારી; વૃષ્ટિ દષ્ટિ, ચક્ષુ, વ=જ; વે=જો.]
અનુવાદ-જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે, તો વિવિધ પ્રકારનાં શાસ્ત્રોનાં બંધનોનું શું કામ છે ? જો અંધકારને હણનારી દષ્ટિ છે, તો દીપકો ક્યાં ઉપયોગી થાય ? (૬) વિશેષાર્થ : અહીં ઉચ્ચ પ્રકારના જ્ઞાનની વાત છે. એ જ્ઞાન તે ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. એ જ્ઞાન આત્મધર્મના સંવેદનરૂપ, તત્ત્વસંવેદનરૂપ છે. એ સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી ભાવપરિણતિવાળું જ્ઞાન છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org