SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. જ્ઞાનાષ્ટક તત્ત્વસંવેદન થાય ત્યારે ભાવચારિત્ર પરિણમે છે. અહીં ગ્રંથિભેદ-જ્ઞાન જે કહ્યું છે તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું છે. ગ્રંથિને ભેદનારું જ્ઞાન તે કારણ છે અને આત્મપરિણતિવાળું જ્ઞાન તે એનું કાર્ય છે. સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાયમાં ચર્ચા કરવી તે આત્મપરિણતિવાળું જ્ઞાન. ગ્રંથિભેદવાળું એટલે કે આત્મપરિણતિવાળું આ જ્ઞાન વિષયપ્રતિભાસ જ્ઞાનથી રહિત હોય છે. શાસ્ત્રોમાં જ્ઞાનના વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ શ્લોકના સંદર્ભમાં નીચેના ત્રણ પ્રકારો સમજવા જોઈએ. (૧) વિષય પ્રતિભાસ જ્ઞાન-માત્ર વિષયને જણાવનારું જ્ઞાન. અર્થાત્ સામાન્ય જાણકારી. એમાં હેય અને ઉપાદેયનો વિવેક હોતો નથી. મિથ્યાત્વીનું જ્ઞાન તે વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે. (૨) આત્મપરિણતિવાળું જ્ઞાન–આ જ્ઞાનમાં વિવેક પ્રગટે છે. હેય-ઉપાદેયની સમજણ આવે છે. પરંતુ વિવેક અનુસાર આચરણ થઈ શકતું નથી. ચોથા ગુણસ્થાનકવાળા જીવોને આ જ્ઞાન હોય છે. તેઓ અવિરતિ સમ્યગુદૃષ્ટિ જીવો હોય છે. (૩) તત્ત્વસંવેદનરૂપ જ્ઞાન-આ જ્ઞાન પ્રાપ્ત થતાં હેય-ઉપાદેયનો વિવેક તો હોય જ છે, પરંતુ તે ઉપરાંત તે જ્ઞાન ધરાવનાર એ પ્રમાણે આચરણ પણ કરે છે. જે હેય છે, ત્યાજ્ય છે એનો તેઓ અવશ્ય ત્યાગ કરે છે અને જે ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે તેને તેઓ આચરણમાં મૂકે છે. આ પ્રકારનું જ્ઞાન મુખ્યત્વે નિર્મળ ભાવ ચારિત્રવાળા મુનિઓને હોય છે. અહીં જે એમ કહેવાયું છે કે ગ્રંથિભેદ જ્ઞાન થયા પછી વિવિધ પ્રકારનાં શાસ્ત્રોના અભ્યાસનું શું પ્રયોજન છે ? મતલબ કે ગ્રંથિભેદ જ્ઞાન થાય, દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ રહ્યા કરે, સ્વરૂપ રમણતા રહે ત્યારપછી શાસ્ત્રજ્ઞાનની કોઈ આવશ્યકતા રહેતી નથી. તંત્રયંત્રણાનો અર્થ શાસ્ત્રાભ્યાસ અને તદનુસાર ક્રિયા-અનુષ્ઠાન એવો પણ કરવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy