________________
જ્ઞાનસાર
વસ્તુતઃ એક વખત આત્મરમણતા અને તત્ત્વસંવેદનરૂપ ભેદજ્ઞાન થાય પછી શાસ્ત્રજ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. પરંતુ કેટલાક સામાન્ય કે પ્રાથમિક કક્ષાના સાધકો જ્યારે મરુદેવા માતાનું ઉદાહરણ આપીને જો શાસ્ત્રજ્ઞાનની અવગણના કરે તો તે યોગ્ય નથી.
વસ્તુત : શાસ્ત્રજ્ઞાન જ સમ્યગૂજ્ઞાનનો રસ્તો ચીંધે છે. એટલે આરંભદશામાં શાસ્ત્રાભ્યાસની આવશ્યકતા રહે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું સમ્યગુજ્ઞાન શાસ્ત્ર દ્વારા મળે છે. આત્મપરિણતિવાળું જ્ઞાન અભ્યાસના પરિપાકથી તત્ત્વસંવેદનરૂપ થાય છે. એટલે સ્વરૂપમાં રમણતા ન પ્રગટે ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાન અને વિવિધ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો ઉપયોગી છે.
વળી ગ્રંથિભેદ થયા પછી પણ સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનની શુદ્ધિ-વૃદ્ધિ માટે પણ શાસ્ત્રાભ્યાસ ઉપયોગી છે. વળી તે જીવને સ્વરૂપ રમણતામાંથી પડતા અટકાવે છે. એટલે અહીં શાસ્ત્રજ્ઞાનની અનાવશ્યકતા જે કહી છે તે એ જ્ઞાની મહાત્માઓ માટે છે કે જેમની બહિર્મુખતા હવે બિલકુલ રહી નથી.
અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે રાત્રિના અંધકાર અને દીપકનું. સામાન્ય રીતે અંધારામાં દેખાતું નથી, પણ સાથે દીવો હોય તો દેખાય છે અને ગતિ કરી શકાય છે. અંધારાને સાપેક્ષ દૃષ્ટિથી લેવાનું છે. ઘુવડ અને અન્ય નિશાચર પ્રાણીઓ અંધારામાં જ જોઈ શકે છે. દિવસે એમને દેખાતું નથી. કેટલાક જીવો અંધકાર અને પ્રકાશ બંનેમાં સારી રીતે જોઈ શકે છે. માણસ અંધારામાં પાસેની વસ્તુ જોઈ શકતો નથી પણ કરોડો માઈલ દૂર રહેલા તારા-નક્ષત્રો જોઈ શકે છે. જે અંધકારમાં પાસેની કે દૂરની બધી જ વસ્તુઓ જોઈ શકતો હોય તેને દીપકની આવશ્યકતા રહેતી નથી. એવી જ રીતે જેમણે તત્ત્વસંવેદનરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેમને શાસ્ત્રજ્ઞાનની કોઈ અપેક્ષા રહેતી નથી.
ગ્રંથિને ભેદનારું જ્ઞાન પહેલી વાર તો અપુનબંધક અવસ્થામાં મિથ્યાત્વને ભેદનારું હોય છે. એ પહેલું અપૂર્વકરણ છે. પણ એ અહીં લેવાનું નથી. અહીં તો નિર્મળ ભાવચારિત્રવાળા મુનિઓનું ગ્રંથિને ભેદનારું તત્ત્વસંવેદનરૂપ જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org