________________
૫. જ્ઞાનાષ્ટક
લેવાનું છે. [૩૯] મિથ્યાત્વચૈતપક્ષછિદ્ જ્ઞાનસ્પતિશfમત: |
નિર્ણય: વિત્યોની નન્દત્યનન્દનન્દને . પ . ૭ || [શબ્દાર્થ: મિથ્યાત્વરીત–મિથ્યાત્વરૂપી પર્વત; પક્ષ =પાંખને; છિદ્ છેદનાર; જ્ઞાનમોનિશfમત =જ્ઞાનરૂપી વજથી શોભિત; નિર્મય:=નિર્ભય, ભયરહિત; શ =ઇન્દ્રની જેમ; યોગી યોગી, યોગવાળો; નન્દતિ આનંદ અનુભવે છે; માનંન્દ્રને આનંદરૂપી નંદનવનમાં.]
અનુવાદમિથ્યાત્વરૂપી પર્વતની પાંખો છેદનાર અને જ્ઞાનરૂપી વજૂ વડે શોભતા એવા નિર્ભય યોગી ઇન્દ્રની જેમ આનંદરૂપી નંદનવનમાં આનંદ અનુભવે છે. (૭)
વિશેષાર્થ : આ શ્લોકમાં મુનિના સમ્યગુજ્ઞાન માટે ઇન્દ્ર મહારાજના વજનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. આપણી ભારતીય પૌરાણિક કલ્પના પ્રમાણે વજ એ ઇન્દ્રનું હથિયાર છે. એ વડે એ મોટા મોટા પર્વતોની પાંખોને તોડી નાખી શકે છે. સમ્યગુજ્ઞાન મિથ્યાત્વને તોડે છે. એટલે મિથ્યાત્વને માટે અહીં પર્વતનું રૂપક અપાયું છે. પર્વતની પાંખોને તોડવાની ક્રિયા ઇન્દ્ર મહારાજ કરે છે. એટલે મુનિને કે યોગીને ઇન્દ્ર મહારાજની ઉપમા આપવામાં આવી છે.
ઇન્દ્ર મહારાજ જેમ પર્વતને પોતાના વજ વડે ભેદી નાખે છે અને તેની પાંખોને છેદી નાખે છે કે જેથી પછી પર્વત ઊડીને ક્યાંય ઉત્પાત મચાવે નહિ અને ઇન્દ્ર મહારાજ પોતે નંદનવનમાં આનંદથી વિચારી શકે છે, તેવી રીતે જે મુનિઓ પોતાના જ્ઞાનરૂપી વજ વડે મિથ્યાત્વરૂપી પર્વતની પાંખો છેદી નાખે છે તેઓ સચ્ચિદાનંદ રૂપી નંદનવનમાં ક્રીડા કરી શકે છે. જગત આખું પ્રગાઢ મિથ્યાત્વથી ભરેલું છે. આવા મિથ્યાત્વને છેદવાનું કાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org