________________
જ્ઞાનસાર
ઘણું કપરું છે. પરંતુ જેમની પાસે એ છેદવા માટે ધારદાર શસ્ત્ર હોય અને તેવું બળ હોય અને તેની આવડત હોય તે જ એ મિથ્યાત્વને છેદી શકે છે. યોગી મહાત્માઓ પાસે સમ્યગુદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રરૂપી રત્નત્રયીનું એવું બળ હોય છે કે એ વડે મિથ્યાત્વ છેદાઈ જાય છે.
ઇન્દ્ર મહારાજા હંમેશાં પોતાના શસ્ત્ર સાથે જ વિચરે છે અને સદાય સતર્ક, અપ્રમત્ત (Alert) રહે છે. એવું ક્યારેય સાંભળ્યું નથી કે ઇન્દ્ર મહારાજા પોતાનું શસ્ત્ર ભૂલી ગયા અથવા તે ખોવાઈ ગયું અને એથી દેવલોકના નંદનવનમાં અસુરોનો ઉત્પાત્ત મચી ગયો હોય, તેવી રીતે સાચા યોગી મહાત્માઓ સદાય પોતાના જ્ઞાનરૂપી શસ્ત્રથી સજ્જ અને અપ્રમત્ત રહે છે કે જેથી એક વખત પરાજિત કરેલું મિથ્યાત્વ ફરીથી આક્રમણ કરીને પુદ્ગલાનંદમાં ઘસડી જવાની હિંમત કરી શકે નહિ. જેઓ આવા નિર્ભય હોય તેઓ જ જ્ઞાનાનંદનું સાચું સુખ અનુભવી શકે છે. [૪૦] યૂપમસમુદ્રોë રસાયનમનીષઘમ્ !
अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ।। ५ ।। ८ ।। [શબ્દાર્થઃ પીયૂષ=અમૃત; સમુદ્રોત્યં=સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું; રસાયન=રસાયન, રસાયણ, વ્યાધિ, વૃદ્ધાવસ્થામાંથી બચાવનાર દ્રવ્ય જે ઓષધિઓમાંથી બનાવવામાં આવે છે. અનૌષધં=ખધ વિનાનું; અનન્યાપેક્ષ=બીજાની અપેક્ષા વિનાનું, શર્વ=પ્રભુતા; શા=જ્ઞાનને માદુ =કહે છે; મનીષિણ =મનીષીઓ, પંડિતો, જ્ઞાનીઓ.]
અનુવાદજ્ઞાન અમૃત છે, પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું નથી, રસાયણ છે છતાં ઔષધ નથી, ઐશ્વર્ય છે છતાં બીજાની અપેક્ષા વિનાનું છે એમ મનીષીઓ કહે છે. (૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org