________________
૫. જ્ઞાનાષ્ટક
વિશેષાર્થ આલંકારિક શૈલીએ જ્ઞાનનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યો છે. બે વસ્તુ વચ્ચે એટલે કે ઉપમાન અને ઉપમેય વચ્ચે સરખામણું બતાવવાની સાથે પછીથી બેમાંથી એકને ચડિયાતું કે ઊતરતું બતાવવું એને કાવ્યાલંકારશાસ્ત્રમાં વ્યતિરેક અલંકાર કહે છે.
અહીં અમૃત, રસાયન અને ઐશ્વર્ય એ ત્રણ ગુણલક્ષણો લેવામાં આવ્યાં છે. આત્મજ્ઞાન અમૃત તુલ્ય છે અથવા સાક્ષાત્ અમૃત જ છે. આપણી પૌરાણિક માન્યતા પ્રમાણે જ્યારે સમુદ્રમંથન થયું અને એમાંથી જે ચૌદ રત્નો નીકળ્યાં એમાંનું એક તે અમૃત હતું. બીજી બાજુ જ્ઞાન પણ અમૃત છે, પરંતુ એને સમુદ્રમાંથી નીકળવાની જરૂર પડી નથી. વળી સમુદ્રમાંથી નીકળેલું અમૃત મનુષ્યને અમર ન બનાવી શકે. હજુ સુધી એવો કોઈ મનુષ્ય હરતો ફરતો નજર સામે જોવા મળ્યો નથી કે જે અમર હોય. મનુષ્યના કે દેવોના, વસ્તુતઃ સર્વ પ્રકારના જીવોના જીવનનો અંત અવશ્ય આવે જ છે. આત્મજ્ઞાનરૂપી અમૃત યોગ્ય પુરુષાર્થ થતાં કેવળજ્ઞાન અને મોક્ષ અપાવે છે. એટલે કે સિદ્ધાવસ્થા અર્થાત્ અમરત્વ અપાવે જ છે. એટલે સમુદ્રમાંથી નીકળેલા અમૃત કરતાં જ્ઞાનામૃત ચડિયાતું છે. તે પરમ તૃપ્તિ આપનારું
આરોગ્ય માટે ઔષધો વિવિધ પ્રકારનાં હોય છે જેમ કે ચૂર્ણ, વટી, ધનવટી, આસવ, રસાયન, ભસ્મ વગેરે. તે દરેક પ્રકાર અને એની માત્રા વૈદની સલાહ અનુસાર લેવાય તો આરોગ્યમાં સુધારો થાય છે. એમાં પણ રસાયન સૌથી મહત્ત્વનું છે. આરોગ્યની જાળવણીમાં અને વૃદ્ધાવસ્થામાં એનું સેવન ગુણકારી ગણાય છે. આમ છતાં રસાયન કેટલાક રોગો મટાડી શકતું નથી અને મૃત્યુથી બચાવવા અસમર્થ નીવડે છે. જ્ઞાનરૂપી રસાયન વૈદકિય રસાયન કરતાં ચડિયાતું છે. તે માણસને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત કરીને અનંતકાળ માટે અમરત્વ અપાવી શકે છે.
સંસારમાં ઐશ્વર્ય વિવિધ પ્રકારનું હોય છે. ભોતિક સમૃદ્ધિથી માણસોનો વૈભવ-પ્રભાવ વધે છે. સોનું, ચાંદી, રત્નો વગેરે અને તેનાં મુગટ, આભૂષણો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org