________________
૮૦
જ્ઞાનસાર
વગેરે ઐશ્વર્યનો ખ્યાલ આપે છે. મોટા શ્રેષ્ઠીઓ અને રાજાઓ પાસે આવું એશ્વર્ય હોય છે. જડ પદાર્થો ઉપરાંત નોકર-ચાકર અને હાથી, ઘોડા તથા ચતુરંગ સેના દ્વારા રાજાઓનું ઐશ્વર્ય સામાન્ય જનતા પર પ્રભાવ પાડે છે. દેવોનું ઐશ્વર્ય તો અપાર હોય છે. પરંતુ આ બધું ઐશ્વર્ય પરાધીન અને અપેક્ષાવાળું હોય છે અને એને લૂંટાઈ જવાનો ભય રહે છે. વળી એનો કાલાન્તરે ક્ષય થાય છે. મોટા મોટા રાજાઓના રાજપાટ ચાલ્યાં ગયાં છે. પરંતુ જ્ઞાનરૂપી ઐશ્વર્ય સ્વાધીન અને અપેક્ષા રહિત હોય છે. એ માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. વળી એને ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, કે ઝાંખા પડી જવાનો ભય હોતો નથી. તે સદાય નિર્ભય અને પ્રકાશમાન રહે છે. વળી કાલાન્તરે એનો ક્ષય થતો નથી.
આમ લૌકિક અમૃત, રસાયન અને ઐશ્વર્ય કરતાં જ્ઞાનરૂપી અલૌકિક અમૃત, રસાયન અને ઐશ્વર્ય ઉત્કૃષ્ટ છે. યથાર્થના બોધસ્વરૂપ, પરભાવોના ત્યાગસ્વરૂપ, આવા જ્ઞાનનો મહિમા અપરંપાર છે.
આ શ્લોકમાં કાવ્યાલંકાર વડે વિષયને સચોટ અને પ્રતીતિકર રીતે રજૂ કરવાની ઉપાધ્યાયજી મહારાજની વિશિષ્ટ કાવ્યશક્તિનાં સુભગ દર્શન પણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org