________________
૬. શમાષ્ટક
૧
૬. શમાષ્ટક [૪૧] વિન્યવિષયોત્તી: 4માવીનખનઃ સા ..
જ્ઞાનસ્થ પરિપાય: સશ૫: પરિવર્તિતઃ || ૬ || 8 || [શબ્દાર્થ વિવિજયોત્તીર્ણ =વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ; માવાનંવન:= આત્મસ્વભાવનું આલંબન જેને છે; સવા=હંમેશા, નિરંતર; જ્ઞાનચ=જ્ઞાનનો; પરિપા=પરિપાક, પરિણામ; =જે; સ:=0; શમ: ઉપશમ, સમભાવ; પરીતિત =કહેલો છે, કહેવાય છે.]
અનુવાદ-વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ અને સદા સ્વભાવનું આલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિપાક તે “શમ' કહેવાય છે. (૧).
વિશેષાર્થ : શમ વિશેના આ અષ્ટકના આરંભમાં જ ગ્રંથકારશ્રીએ શમની વ્યાખ્યા આપી છે. એમાં શમનાં મુખ્ય ત્રણ લક્ષણ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યાં છેઃ (૧) વિકલ્પના વિષયથી નિવૃત્તિ (૨) નિરંતર સ્વભાવનું આલંબન (૩) એવા જ્ઞાનનો પરિપાક જ્ઞાનાષ્ટક પછી શમાષ્ટક આપવામાં આવ્યું છે, કારણ કે જ્ઞાન હોય તો ઉપશાન્ત થવાય છે. જ્ઞાનથી ક્રોધાદિ કષાયો સારી રીતે શાન્ત થાય છે. કષાયોના લયોપશમથી આત્મપરિણતિરૂપ જ્ઞાનનો પરિપાક થાય છે. જ્ઞાનથી આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. એવું પરિપક્વ જ્ઞાન એટલે શમ. શમ એટલે સમતા. સમતા એટલે શુભાશુભ વિકલ્પોમાંથી નિવૃત્તિ. સમતા એ એક પ્રકારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org