________________
જ્ઞાનસાર
યોગસાધના છે. એ માટે “સમતાયોગ'નાં લક્ષણો સમજવાં જરૂરી છે.
શ્રી હરિભદ્રસૂરિજીએ પોતાના યોગબિંદુ' ગ્રંથમાં યોગના પાંચ ભેદ બતાવ્યા છે : (૧) અધ્યાત્મયોગ (૨) ભાવનાયોગ (૩) ધ્યાનયોગ (૪) સમતાયોગ અને (પ) વૃત્તિસંક્ષયયોગ. એનાં કેટલાંક લક્ષણો નીચે પ્રમાણે છે :
(૧) અધ્યાત્મયોગ-ઉચિત પ્રવૃત્તિવાળો વ્રતધારી સાધક શાસ્ત્રાનુસાર જીવ, અજીવ વગેરે તત્ત્વોનું ચિંતન કરે છે. એ ચિંતન પણ મૈત્રી વગેરે ચાર ભાવનાથી યુક્ત હોય છે. એને પરિણામે અશુભ કર્મોનો ક્ષય થાય છે, ગુણોનો વિકાસ થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે અને શુદ્ધ બોધ પ્રાપ્ત થાય છે.
(૨) ભાવનાયોગ–અધ્યાત્મયોગનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ સાધક ભાવનાયોગમાં પ્રવેશે છે અને સ્થિર થાય છે. અધ્યાત્મયોગમાં જો તત્ત્વચિંતન મંદ થાય તો રાગદ્વેષની પરિણતિ વધે. પરંતુ ભાવનાયોગમાં સ્કૂલ કે સૂક્ષ્મ પદાર્થોનું અનિત્યાદિ ભાવનાયુક્ત તત્ત્વચિંતન વૃદ્ધિ પામે છે. એથી ચિત્તવૃત્તિનો નિરોધ વધતો જાય છે. ક્રોધાદિ કષાયોની નિવૃત્તિ થવા લાગે છે. ગુણવૃદ્ધિ થાય છે અને આત્મા વધારે વિશુદ્ધ બને છે.
(૩) ધ્યાનયોગ-ધ્યાનયોગમાં સાધક પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યાનના પરિણામવાળો, ચિત્તની સ્થિરતાવાળો અને આત્મસ્વરૂપમાં તન્મયતાવાળો થાય છે.
(૪) સમતાયોગ-અનાદિકાળથી જીવને વળગેલી અવિદ્યા ઇષ્ટ અને અનિષ્ટના ભાવ કરાવે છે. આ સમતાયો ગમાં સાધક ઇષ્ટ અને અનિષ્ટના ભાવોનો-કલ્પનાનો વિવેકથી પરિહાર કરે છે અને ધ્યાનના બળથી મોહનીયાદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે. તે સર્વ પદાર્થો, વિષયો પ્રત્યે ચિત્તની તુલ્યતા એટલે કે સમાન વૃત્તિ ધરાવે છે. આ સમતા એટલે શમ.
(૫) વૃત્તિસંક્ષયયોગ-આમાં સાધક કર્મના ઉદયથી અનાદિકાળની વૃત્તિના અભાવવાળો થાય છે. તે માનસિક ચિંચળતા અને શારીરિક ક્રિયાઓનો નિરોધ કરે છે. વૃત્તિસંક્ષયયોગીને કેવળજ્ઞાન, શેલેશીકરણ અને નિર્વાણ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org