________________
૬. શમાષ્ટક
૮
૩
આ પાંચ પ્રકારના યોગીમાંથી સમતાયોગી આત્મસાધનામાં તન્મય હોય છે. આત્માના અનંત જ્ઞાનમય શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ અને આત્મપરિણતિરૂપી જ્ઞાનનો પરિપાક એ શમ છે. શમની પ્રાપ્તિ પછી બાહ્ય કોઈ પદાર્થોની એષણા-અપેક્ષા રહેતી નથી. [૪૨] નિષ્ણન્ કર્મવૈષમ્ય બ્રહ્માંશેન સમં નાન્ !
રાત્માન ય: પચ્ચેનો મોક્ષ અમી શમી | ૬ | ૨ | [શબ્દાર્થઃ અનિચ્છન=નહિ ઇચ્છતો; વૈષચં કર્મની વિષમતાને, કર્મથી થતા ભેદોને; બ્રહ્માંશ=બ્રહ્મના અંશ વડે; સમ=સરખા, એક સ્વરૂપવાળા; ન= જગતને; માત્મામેવેન=માત્મા+મેન આત્માથી અભિન્નપણે; =જે; પષે જુએ; એ; મોક્ષ પામી=મોક્ષગામી હોય છે; શમી ઉપશમવાળો.]
અનુવાદ-કર્મકૃત ભેદોને નહિ ઇચ્છતો (વિચારતો), બ્રહ્માના અંશ વડે (ચૈતન્ય સત્તા વડે) એક સ્વરૂપવાળા જગતને અભિન્નરૂપે જે જુએ છે તે ઉપશમવાળો આત્મા મોક્ષગામી હોય છે.
વિશેષાર્થ કેવળ આત્મતત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો જીવ માત્રમાં સમાન આત્મા રહેલો છે. પરંતુ સંસારમાં ગતિ, જાતિ, વર્ણ, આકૃતિ ઇત્યાદિની દૃષ્ટિએ જીવોમાં કેટલું બધું વૈવિધ્ય જોવા મળે છે ! વર્ણાશ્રમ વગેરેના ભેદો ઉપરાંત બુદ્ધિ, શક્તિ, પ્રતિભા, આવડત ઇત્યાદિ વિશે પણ મનુષ્યોમાં પાર વગરના ભેદો છે ! પરંતુ એ બધા ભેદો પોતપોતાનાં કર્મને કારણે છે એમ વિચારીને જ્ઞાની મહાત્માઓ બધા જીવોમાં રહેલા શુદ્ધાત્માને નિહાળે છે. તેઓ દ્રવ્યાસ્તિક (દ્રવ્યાર્થિક) નયથી આ બધા જીવોમાં રહેલા ચૈતન્ય તત્ત્વને અભેદભાવે નિહાળે છે. તેઓને અમૂર્ત, અસંખ્યપ્રદેશરૂપ, અગુરુલઘુ એવા આત્માનાં દર્શન થાય છે. એથી જ તેઓ કર્મકૃત વૈષમ્યને લક્ષમાં રાખવા છતાં દરેકમાં રહેલા શુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org