________________
८४
જ્ઞાનસાર
ચૈતન્યરૂપ આત્માને સમત્વભાવથી નિહાળે છે. સર્વ જીવો પ્રત્યે ઉચિત વ્યવહાર રાખતા હોવા છતાં તેમનામાં રહેલ વિશુદ્ધ આત્માને સમત્વભાવથી નિહાળે છે. સમદર્શી પંડિતો માટે શ્રીમદ્ ભગવદ્ગીતાનો નીચેનો શ્લોક જાણીતો છે.
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ।। [વિદ્યા અને વિનયથી (વિવેકથી) સંપન્ન એવો બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરું હોય કે ચંડાળ હોય-એમાં પંડિતો-જ્ઞાની પુરુષો સમદર્શી હોય છે એટલે કે કોઈ ભેદ જોતા નથી.]
આમ સમતા યુક્ત જ્ઞાની પુરુષો કર્મના વિપાકને કારણે જીવની જુદી જુદી દશાને ન જોતાં તેમનામાં રહેલા વિશુદ્ધ આત્માને જુએ છે. એ આત્મા બધામાં એક સરખો જ હોય છે. વળી શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે ?
इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मनः ।
निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ।। જિઓનું મન સમભાવમાં રહેલું છે તેઓએ અહીં જ સંસારને જીત્યો છે. બ્રહ્મ નિર્દોષ છે અને સમ અર્થાત્ સમભાવી છે. તેથી બ્રહ્મમાં (પરમાત્મામાં) તેઓ રહેલા છે.]
આમ શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે સર્વ જીવોમાં જ્ઞાની મહાત્મા એક સરખા આત્માને નિહાળે છે. અલબત્ત શ્રીમદ્ ભગવદ્ગીતાના આ શ્લોકોમાં માત્ર દ્રવ્યાસ્તિક નયથી કથન થયું છે. એટલે એમાં એકાન્ત અભેદથી આત્મદ્રવ્યની વાત કરવામાં આવી છે. જૈન ધર્મ દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નય એમ બંને નયથી વિચારણા કરે છે. એટલે કર્મકૃત વિભિન્નતાને પણ લક્ષમાં રાખવા તે કહે છે. સર્વ જીવોમાં એક સરખો આત્મા છે એ માન્યતા દઢ થઈ જવી જોઈએ, પરંતુ સાથે સાથે પર્યાયને લક્ષમાં રાખીને ઉચિત વ્યવહાર કરવો જરૂરી છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય, ઉચિત હોય તે પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. મનુષ્ય અને કૂતરામાં એક સરખો આત્મા રહેલો છે એમ સમજી કોઈ જે રીતે મુનિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org