________________
૬. શમાષ્ટક
૮૫
મહારાજને ખમાસમણાં દેવાપૂર્વક વંદન કરે એ રીતે રસ્તામાં કૂતરું જોતાં એને પણ ખમાસમણાં દેવા લગી જાય તો તે યોગ્ય નથી. બધાંમાં પરબ્રહ્મ–પરમાત્મા એકસરખો છે એમ કહીને કોઈ સ્વસ્ત્રી જેવો વ્યવહાર પરસ્ત્રી સાથે કરવા લાગે તો તે ઉચિત ન ગણાય.
કોઈ શેઠ નોકરને પોતાની ગાદી પર બેસાડે તે યોગ્ય ન ગણાય. તીર્થંકર ભગવાનના જીવને કેવળજ્ઞાન થાય છે અને સામાન્ય કેવલીના જીવને પણ કેવળજ્ઞાન થાય છે. પરંતુ દેવો સમવસરણની રચના તીર્થકર ભગવાન માટે કરે છે, સામાન્ય કેવળી માટે કરતા નથી. આમ, ઉચિત વ્યવહાર કરવાની આવશ્યકતા છે. એમાં મહત્ત્વની વાત એ છે કે સર્વ જીવો પ્રત્યે વ્યવહાર કરતી વખતે આપણામાં રાગદ્વેષની પરિણતિ ન થવી જોઇએ. એ જો થાય તો સમતાનો ભાવ આપણામાં સ્થિર થયો નથી એમ સમજવું જોઈએ. [૪૩] સાક્ષુષુનિર્યો ત્વહિક્રિયામપિ .
યોજાઢ: શમાદેવ શુધ્યાતશ્ચિય: I ૬ / રૂા. [શબ્દાર્થઃ મારુરુક્ષુ =આરોહણ કરવાની (ચડવાની) ઇચ્છાવાળો; મુનિ=સાધુ યોગ સમાધિયોગ ઉપર; શ સેવે, આચરે; વીટ્યક્સિયાં બાહ્ય ક્રિયાને; બાહ્યાચારને; મણિ=પણ; યોગાઢ: યોગ ઉપર ચડેલો; શશિમથી, સમભાવથી; પવ=જ; શુષ્પતિ શુદ્ધ થાય છે; કાતયિ: અત્યંતર ક્રિયાવાળો. અનુવાદસમાધિ યોગ પર ચડવાને ઇચ્છતો મુનિ બાહ્ય આચારને પણ સેવે છે. યોગ ઉપર ચડેલો મુનિ અભ્યતર ક્રિયાવાળો હોય છે અને “શમ'થી જ શુદ્ધ થાય છે. (૩) વિશેષાર્થ : અહીં સાધક મુનિની બે અવસ્થાનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. (૧) સમાધિયોગ ઉપર ચઢવાની ઇચ્છા ધરાવનાર મુનિ અને (૨) સમાધિયોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org