SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ઉપર આરૂઢ થઈ ગયેલા મુનિ. શમ અર્થાત્ સમતાયોગ પર ચઢવાની ઇચ્છા ધરાવનારા મુનિએ દેવવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓનો એટલે કે અનુષ્ઠાનોનો આશ્રય લેવો જોઇએ. એ એમને માટે જરૂરી પણ છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક', યોગવિંશિકા વગેરે ગ્રંથોમાં મુખ્યત્વે ચાર પ્રકારનાં અનુષ્ઠાન ક્રમાનુસાર બતાવ્યાં છેઃ (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન અને (૪) અસંગ અનુષ્ઠાન. આ ચાર અનુષ્ઠાનમાંથી પહેલાં ત્રણ અનુષ્ઠાનોનો, સમતાયોગની સાધના કરવાની ઇચ્છા ધરાવનાર મુનિએ આશ્રય લેવો જોઈએ. શુભ ક્રિયામાં અતિશય પ્રીતિ હોય અને બીજાં કાર્યોનો ત્યાગ કરી તેમાં જ સાધક એકનિષ્ઠાથી પ્રયત્ન કરે તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય. આ જ પ્રકારની ક્રિયા અત્યંત ભક્તિપૂર્વક અને બહુમાનપૂર્વક કરવામાં આવે તો તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય. વળી શાસ્ત્રવચન અનુસાર તે ક્રિયા ઉચિતપણે કરાય તો તે વચન અનુષ્ઠાન કહેવાય. આ શુભ સંકલ્પરૂપ ક્રિયાઓ કરવાથી મલિન અશુભ સંકલ્પો અને વૃત્તિઓનું નિવારણ થાય છે. પરિણામે શમ-સમતા પ્રગટ થાય છે. આ સમતાયોગ ચંદનની સુગંધ જેવો છે. આ યોગ પર જ્યારે મુનિ આરોહણ કરે છે ત્યારે તેને અસંગ અનુષ્ઠાન કહેવામાં આવે છે. હવે સાધક સિદ્ધયોગી બને છે. તે શમ વડે, રાગદ્વેષના અભાવથી નિર્મળ થાય છે. હવે તે અત્યંતર ક્રિયાવાળો થાય છે. એની બાહ્ય ક્રિયાઓ છૂટી જાય છે. જેમ નાનું બાળક માતાની આંગળી પકડી ચાલે છે ત્યારે એને માતામાં પૂરી શ્રદ્ધા છે અને માતાના વચનને તે અનુસરે છે. પણ પછી મોટું થતાં તે માતાની આંગળી છોડી દે છે. તે પોતાની મેળે વિશ્વાસપૂર્વક સ્વતંત્ર ચાલે છે. જેમ પર્વત પર આરોહણ કરનાર આરોહક આરંભમાં ભોમિયાની મદદથી ઉપર ચડે છે, પણ ઉપર ગયા પછી એને ભોમિયાની જરૂર રહેતી નથી, તેમ સમતાયોગ પર આરૂઢ થનાર યોગીને હવે બાહ્ય ક્રિયાઓની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy