________________
૬. શમાષ્ટક
આવશ્યકતા રહેતી નથી. [૪૪] ધ્યાનવૃદ્ધયાનદા: શમપૂરે પ્રસર્પતિ |
विकारतीरवृक्षाणां मूलादुन्मूलनं भवेत् ।। ६ ।। ४ ।। [શબ્દાર્થઃ ધ્યાનવૃષ્ટ =ધ્યાનરૂપી વૃષ્ટિથી, યાન:=દયારૂપી નદીનું; શમપૂરે=ઉપશમરૂપી પૂર; પ્રતિ=વધે છે ત્યારે વિરતીરવૃક્ષાણ =વિકારરૂપી કાંઠાનાં વૃક્ષોનું, મૂતા=મૂળથી; ભૂતનંsઉમૂલન, ઉખડી જવું, મ=થાય
અનુવાદ-ધ્યાનરૂપી વૃષ્ટિથી દયારૂપી નદીનું શમરૂપી પૂર વધે છે ત્યારે વિકાર રૂપી કાંઠાના વૃક્ષોનું મૂળથી ઉજૂલન થાય છે. (૪)
વિશેષાર્થ સાધકના જીવનમાં સમતારૂપી શમ કેવી રીતે, કેવું કાર્ય કરે છે તે રૂપક દ્વારા આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે.
ધ્યાનમાં આરૂઢ થયેલો સાધક ધ્યાનની ઉચ્ચ દશા પ્રાપ્ત કરે છે ત્યારે તેનામાં શમ પ્રગટે છે. અહીં ધ્યાનને વૃષ્ટિ તરીકે, દયાને નદી તરીકે, અમને પૂર તરીકે અને રાગદ્વેષાદિ વિકારોને કિનારા પરનાં તોતિંગ વૃક્ષો તરીકે બતાવવામાં આવ્યાં
નદીના કિનારે જબરજસ્ત મોટા મોટાં વૃક્ષો ઊગે છે. એને કાપી નાખવા કે ઉખેડી નાખવા માટે ઘણો બધો પરિશ્રમ કરવો પડે. એવા પરિશ્રમ પછી એકબે વૃક્ષો તૂટે તો તૂટે. પણ મોટી નદીમાં જ્યારે અણધાર્યું બહુ મોટું પૂર આવે છે ત્યારે કિનારા પરનાં એ બધાં વૃક્ષો ઘડીકમાં ઉખડી જાય છે અને નદીના પ્રવાહમાં તણાઈને ક્યાંનાં ક્યાં ફેંકાઈ જાય છે. એવી રીતે દયારૂપી નદીમાં શમરૂપી એટલે કે સમતારૂપી પૂર જ્યારે આવે છે ત્યારે ક્રોધાદિ કષાયો રૂપી, વાસનારૂપી, કે વિકારરૂપી વૃક્ષો ઊખડી જાય છે અને તણાઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org