________________
८८
જ્ઞાનસાર
અલબત્ત, દયારૂપી નદીમાં સમતારૂપી પૂરતો ત્યારે જ આવે છે જ્યારે ધર્મધ્યાન દ્વારા ભાવકરુણાની વૃદ્ધિ થાય છે. તે વખતે સંસારના સર્વ જીવો પ્રત્યેના સમતાના ભાવમાં વૃદ્ધિ થાય છે.
અહીં ધ્યાન એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી અશુભ ધ્યાન નહિ પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપી શુભ ધ્યાન સમજવાનું છે. એમાં વિશેષતઃ ધર્મધ્યાન અહીં અપેક્ષિત છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે અન્તર્મુહૂર્ત સુધી એક વસ્તુમાં ચિત્તનું રહેવું એ ધ્યાન છદ્મસ્થોને હોય છે. એમાં દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપમાં ચિત્તની તન્મયતા હોય છે. આ ધર્મધ્યાનના આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એવા ચાર પ્રકારો છે. ધર્મધ્યાનની ગહનતામાં દ્રવ્યદયામાંથી ભાવદયાની વૃદ્ધિ થાય છે. ધ્યાનયોગથી કરૂણારૂપી નદી વહેવા લાગે છે અને સર્વ જીવો પ્રત્યે સમતારૂપી શમનું પૂર આવેગથી આવે છે. એ પૂર આવતાં કિનારાનાં વિકારરૂપી વૃક્ષો ઉખડી જાય છે. શમમાં એટલું મોટું બળ હોય છે. [૪૫] જ્ઞાન-ધ્યાન-તપ: શીત્ર-સભ્યત્વરિતોડદો !
તં નાખોતિ ગુvi સાધુર્યમા ખોતિ સમન્વિત: ૫ ૬ / ૧ / [શબ્દાર્થ જ્ઞાનધ્ધાનતપ: શીનવત્વસહિત=જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્વસહિત; પિ=પણ; મહો=અહો ! તંત્રતે; નાનોતિ નાખોતિ પ્રાપ્ત કરતો નથી; ગુi=ગુણને; સાધુ સાધુ; ય—જે; મનોતિ (પા. પ્રાનોતિ)=પ્રાપ્ત કરે છે; સમન્વિત: શમયુક્ત.]
અનુવાદ-જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્વસહિત (પરંતુ શમરહિત) સાધુ પણ અહો! તે ગુણને પ્રાપ્ત કરતો નથી, જે શમયુક્ત સાધુ પ્રાપ્ત કરે છે. (૫)
વિશેષાર્થ: શમ અર્થાત્ ઉપશાન્તતા કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે એ દર્શાવવા માટે અહીં કહ્યું છે કે સમકિતી મુનિમાં જ્ઞાન, ધ્યાન, તપ અને શીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org