________________
૬. શમાષ્ટક
હોય પણ જો સાથે શમ અર્થાત્ સમતા એટલે કે રાગદ્વેષરહિતપણું ન હોય તો એ જ્ઞાન, ધ્યાન, તપ અને શીલ દ્વારા અમુક મર્યાદા સુધી જ આત્મવિકાસ થાય છે. વીતરાગતા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં શમ મહત્ત્વનું કાર્ય કરે છે. જ્ઞાનાદિ ગુણો નિરાવરણ અને નિર્મળ એવા કેવળજ્ઞાનને પ્રગટ થવામાં પરંપરાએ કારણરૂપ છે, પરંતુ કષાયના અભાવરૂપ શમ તો નિકટવર્તી કારણ છે, જે તરત ફળ અપાવે છે. એટલે ક્ષાયોપશમિક જ્ઞાની જે ગુણોને પ્રાપ્ત કરતો નથી તે ગુણોને શમયુક્ત યોગી પ્રાપ્ત કરે છે.
જ્ઞાન એટલે તત્ત્વોનો બોધ, ધ્યાન એટલે કોઈ પણ પ્રશસ્ત વિષયમાં સજાતીય પરિણામની ધારા, તપશ્ચર્યા એટલે ઇચ્છાઓનો નિરોધ, શીલ એટલે નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન અને સમ્યક્ત્વ એટલે જિનોક્ત તત્ત્વનું શ્રદ્ધાન અને તેમાં રુચિ-આ બધા ગુણો સહિત રત્નત્રયીની આરાધના કરનાર મુનિ પણ જો શમવાળા એટલે કે સમભાવરૂપ ચારિત્રવાળા ન હોય તો કેવળજ્ઞાન સુધી પહોંચી શકતા નથી.
વાચક ઉમાસ્વાતિએ એમના ‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહ્યું છે : सम्यग्दृष्टिर्ज्ञानी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः ।
तं न लभते गुणं यं प्रशमगुणमुपाश्रितो लभते ।।
૮૯
[પ્રશમ ગુણવાળા જે મેળવે છે તે સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, વિરતિધર, તપોબલયુક્ત એવા મુનિ પણ મેળવતા નથી.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધી સાધનામાં પ્રશમ ગુણની મહત્તા ઘણી છે. જો પોતાનામાં પ્રશમ ગુણ નથી પ્રગટયો તો કેટલીક વાર સમ્યગ્દષ્ટિવાળા સાધકો મિથ્યાત્વી લોકો પ્રત્યે નીચી નજરે જુએ છે, પોતે જ્ઞાની હોય તો અજ્ઞાનીની હાંસી ઉડાવે છે, પોતે વિરતિધર સાધુ કે શ્રાવક હોય તો અવિરતિધરને ઉતારી પાડે છે, પોતે તપસ્વી હોય તો તપ નહિ કરનારની અવહેલના કરે છે. વસ્તુતઃ તપસ્વી હોય, જ્ઞાની હોય કે અન્ય કંઈ સાધના કરતા હોય તો પણ તેઓને બીજા ક્ષતિવાળા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org