________________
જ્ઞાનસાર
અશક્ત જીવો પ્રત્યે સહાનુભૂતિ અને સમભાવ હોવો જોઈએ. અરે, અભવ્ય જીવ પ્રત્યે પણ ધૃણા કરી શકાય નહિ. પ્રશમ ગુણનો મહિમા આટલો બધો છે. [४६] स्वयंभूरमणस्पर्द्धिवर्धिष्णुसमतारसः ।
મુનિર્વેનોપમીત ડપિ ની સૌ વારે ૬ | દ II [શબ્દાર્થ સ્વયંમૂરમાસ્પદ્ધ સ્વયંભૂરમણ નામના સમુદ્રની સ્પર્ધા કરનાર; વર્ધળુ વૃદ્ધિ પામતો; સમતાર=સમતા રૂપી રસ જેનો; મુનિ =સાધુ; વેન=જેનાથી; ૩પમીત ઉપમા અપાય, સરખાવાય; જોડપિ કોઇપણ; ન નથી; સૌ=એ; વરરે ચરાચરમાં, જગતમાં.]
અનુવાદ-સ્વયંભૂરમણ નામના સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારૂપી રસ જેનો છે એવા મુનિની જેના વડે સરખામણી કરી શકાય એવો ચરાચરમાં કોઈ પણ નથી. (૬)
વિશેષાર્થ : બીજાને સમજાવવા માટે અથવા કોઈ વાત સચોટ રીતે કહેવી હોય તો તે માટે ઉપમા, રૂપક વગેરે અલંકારોનો ઉપયોગ થાય છે. કવિઓ કવિતામાં ચમત્કૃતિ લાવવા આવા અલંકારો પ્રયોજે છે.
વિશ્વમાં મોટામાં મોટી, ઊંચામાં ઊંચી, સુંદરમાં સુંદર વસ્તુ માટે તેવા પ્રકારની ઉપમાઓ પ્રયોજાય છે. અહીં સાક્ષાત્ મોક્ષસુખ અનુભવાતું હોય એવા સમતારસ માટે શાની ઉપમા આપી શકાય? એ માટે ચૌદ રાજલોકમાં મોટામાં મોટા સમુદ્ર એવા સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા આપી શકાય. તિથ્ય લોકને છેડે આવેલો અર્ધ રજૂપ્રમાણ, અસંખ્યાત યોજન પહોળો સ્વયંભૂરમણ સમુદ્ર છે. ચરાચર વિશ્વમાં એનાથી મોટો બીજો કોઈ સમુદ્ર નથી.
પરંતુ ગ્રંથકારશ્રી કહે છે કે મુનિઓના સમતારસ માટે આ સમુદ્રની ઉપમા પૂરતી નથી, કારણ કે સમુદ્ર ગમે તેટલો મોટો હોય પણ તેની એક મર્યાદા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org