________________
૬. શમાષ્ટક
૯૧
તેમાં પૂર આવતું નથી. નદીમાં પૂર આવી શકે. સમુદ્રમાં ભરતીઓટ થાય, પણ તેમાં પૂર ન આવે. મુનિઓનો ઉપશમરસ–સમતારસ સતત વધતો જ રહે છે. એમાં પૂર આવે છે. એટલે મુનિઓના સમતારસની સ્વયંભૂરમણ સમુદ્રની સાથે કોઈ સરખામણી થઈ શકે એમ નથી. સરખામણી થાય એવો કોઈ પદાર્થ ચરાચર વિશ્વમાં નથી. આ સમતારસ અનિર્વચનીય છે, ઉપમાતીત છે.
સમતારસમાં ઝીલતા મુનિવરો ત્રણે કાળના ઇન્દ્રિયાર્થ રમ્ય વિષયો વિશે સ્પૃહારહિત છે. તેઓ જગતના સર્વ પદાર્થો અને ભાવો પ્રત્યે ઉદાસીન હોય છે. અરે, તેઓને પોતાની અંતરંગ ગુણસંપત્તિ માટે પણ પક્ષપાત રહ્યો હોતો નથી, કારણ કે તેઓ હવે રાગરહિત હોય છે. આથી જ તેઓનો સમતારસ સ્થિર નહિ પણ વધવાના સ્વભાવવાળો હોય છે.
આવા ઉપશાન્ત મુનિવરોનો મહિમા ઘણા શાસ્ત્રગ્રંથોમાં વર્ણવાયો છે. પ્રશમરતિ ગ્રંથમાં વાચક શ્રી ઉમાસ્વાતિજીએ મુનિઓના મોક્ષસુખ માટે કહ્યું છેઃ
निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ।। [મદન (કામદેવ)ના મદથી જે અજિત છે, મન, વચન અને કાયાના વિકારોથી જે રહિત છે, પારકી આશાથી જેઓ સારી પેઠે નિવૃત્ત છે તે મહાત્માઓનો અહીં જ મોક્ષ છે.] આવશ્યક નિર્યુક્તિમાં ઉપશાન્ત મુનિઓ માટે કહ્યું છેઃ
दंतेण चित्तेन चरंति धीरा मुणी समुग्धाइय रागदोसा ।। [જેમણે રાગદ્વેષનો સારી રીતે નાશ કર્યો છે એવા ધીર મુનિઓ દાન્ત (ઉપશાન) થયેલા ચિત્ત વડે વિચરે છે.] [४७] शमसूक्तसुधासिक्तं येषां नक्तंदिनं मनः ।
___ कदाऽपि ते न दह्यन्ते रागोरगविषोर्मिभिः ।। ६ ।। ७ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org