________________
જ્ઞાનસાર
શબ્દાર્થ સમસૂત=શમના સુભાષિત; સુધાસિક્ત=સુધા એટલે અમૃત વડે સિંચાયેલું છે; યેષાં જેઓનું; નતંતિ=રાત દિવસ મન: મન; વાગપિ=કદી પણ; તે તેઓ; ન વાન્ત=બળતા નથી; રાગરા=રા+પરા=રાગરૂપી સર્પની; વિષfમ=વિષની લહરીઓ વડે.]
અનુવાદ-ઉપશમ રસનાં વર્ણન કરતાં) સુભાષિતોરૂપી અમૃત વડે જેઓનું મન રાત દિવસ સિંચાયેલું છે તેઓ કદી પણ રાગરૂપી સર્પના વિષની લહરીઓ વડે બળતા નથી. (૭)
વિશેષાર્થ શબ્દ તો એક જ છેઃ શમ. એનો ભાવ પણ એક જ છે. પણ એના સમાનાર્થ બીજા શબ્દો છે અને સમાન ભાવો પણ છે. જ્ઞાની મહાત્માઓ પોતાના અનુભવના નિચોડરૂપે એમાં કલ્પના, તર્ક, અલંકારો ઇત્યાદિના ઉમેરણ સાથે એને વિવિધ રીતે વ્યક્ત કરતા આવ્યા છે. એવી કેટલીયે ઉક્તિઓ સંક્ષિપ્ત અને તરત હૈયામાં વસી જાય એવી સચોટ હોય છે. એને સુભાષિત અથવા સૂકિત કહેવામાં આવે છે. આવી અનેક સૂક્તિઓમાં પૂર્વે થઈ ગયેલા જ્ઞાની મહાત્માઓનો અનુભવરૂપી ખજાનો છે. સૂક્તિઓમાં અનુભવામૃત પીરસાયું છે. આવી અમૂલ્ય એવી સૂક્તિઓ વાંચવાનું, સાંભળવાનું, કંઠસ્થ કરવાનું, એના ઉપર મનન, ચિંતન, ભાવન કરવાનું પ્રિય લાગે છે. એવી કેટલીયે સૂક્તિઓ હંમેશને માટે યાદ રહી જાય છે. આવી સૂક્તિઓના સંગ્રહો પણ કાયમને માટે વખતોવખત પ્રકાશિત થાય છે. એક જ સૂક્તિ પણ જો હૃદયમાં સચોટ રીતે વસી જાય તો સમગ્ર જીવનને બદલાવી શકે છે. જેઓને સંસાર પ્રત્યે સાચો નિર્વેદ પ્રગટ થયો છે, જેઓનું જીવન ત્યાગવેરાગ્યની સુવાસથી મઘમઘે છે, જેઓ આત્મસ્વરૂપની રમણતામાં લીન રહે છે તેઓનું જીવન રાતદિવસ આવી પ્રિય સૂક્તિઓથી સિંચાયેલું રહે છે. એવી થોડીક મનપસંદ સૂક્તિઓ કંઠાગ્રે, ચિત્તાગ્રે વસાવી દેવામાં આવે તો કસોટીના કાળને પણ જીતી શકાય છે. એવી સૂક્તિઓ જીવનમાં મોટું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org