SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર શબ્દાર્થ સમસૂત=શમના સુભાષિત; સુધાસિક્ત=સુધા એટલે અમૃત વડે સિંચાયેલું છે; યેષાં જેઓનું; નતંતિ=રાત દિવસ મન: મન; વાગપિ=કદી પણ; તે તેઓ; ન વાન્ત=બળતા નથી; રાગરા=રા+પરા=રાગરૂપી સર્પની; વિષfમ=વિષની લહરીઓ વડે.] અનુવાદ-ઉપશમ રસનાં વર્ણન કરતાં) સુભાષિતોરૂપી અમૃત વડે જેઓનું મન રાત દિવસ સિંચાયેલું છે તેઓ કદી પણ રાગરૂપી સર્પના વિષની લહરીઓ વડે બળતા નથી. (૭) વિશેષાર્થ શબ્દ તો એક જ છેઃ શમ. એનો ભાવ પણ એક જ છે. પણ એના સમાનાર્થ બીજા શબ્દો છે અને સમાન ભાવો પણ છે. જ્ઞાની મહાત્માઓ પોતાના અનુભવના નિચોડરૂપે એમાં કલ્પના, તર્ક, અલંકારો ઇત્યાદિના ઉમેરણ સાથે એને વિવિધ રીતે વ્યક્ત કરતા આવ્યા છે. એવી કેટલીયે ઉક્તિઓ સંક્ષિપ્ત અને તરત હૈયામાં વસી જાય એવી સચોટ હોય છે. એને સુભાષિત અથવા સૂકિત કહેવામાં આવે છે. આવી અનેક સૂક્તિઓમાં પૂર્વે થઈ ગયેલા જ્ઞાની મહાત્માઓનો અનુભવરૂપી ખજાનો છે. સૂક્તિઓમાં અનુભવામૃત પીરસાયું છે. આવી અમૂલ્ય એવી સૂક્તિઓ વાંચવાનું, સાંભળવાનું, કંઠસ્થ કરવાનું, એના ઉપર મનન, ચિંતન, ભાવન કરવાનું પ્રિય લાગે છે. એવી કેટલીયે સૂક્તિઓ હંમેશને માટે યાદ રહી જાય છે. આવી સૂક્તિઓના સંગ્રહો પણ કાયમને માટે વખતોવખત પ્રકાશિત થાય છે. એક જ સૂક્તિ પણ જો હૃદયમાં સચોટ રીતે વસી જાય તો સમગ્ર જીવનને બદલાવી શકે છે. જેઓને સંસાર પ્રત્યે સાચો નિર્વેદ પ્રગટ થયો છે, જેઓનું જીવન ત્યાગવેરાગ્યની સુવાસથી મઘમઘે છે, જેઓ આત્મસ્વરૂપની રમણતામાં લીન રહે છે તેઓનું જીવન રાતદિવસ આવી પ્રિય સૂક્તિઓથી સિંચાયેલું રહે છે. એવી થોડીક મનપસંદ સૂક્તિઓ કંઠાગ્રે, ચિત્તાગ્રે વસાવી દેવામાં આવે તો કસોટીના કાળને પણ જીતી શકાય છે. એવી સૂક્તિઓ જીવનમાં મોટું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy