________________
૬. શમાષ્ટક
૯૩
આલંબન, ભાથું બની જાય છે.
ઉપશમરૂપી, સમતારૂપી આ અમૃત જેઓને પ્રાપ્ત થયું છે તેમને રાગરૂપી ઝેર કશું કરી શકતું નથી. સર્પ દંશ થાય તો એનું ઝેર શરીરમાં દાહ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યાં અમૃત હોય ત્યાં ઝેરનું કશું ચાલતું નથી. વિષ પણ અમૃત બની જાય
શમ-ઉપશમ એટલે ક્રોધાદિ કષાયોનો અભાવ. શમ એટલે સમતારૂપ ચારિત્રપરિણામ. એ પ્રાપ્ત કરવું ઘણું કઠિન છે. થોડા વીરલા એ પ્રાપ્ત કરી શકે છે. એકંદરે જગતના જીવો પોદુગલિક સુખની પાછળ દોટ મૂકે છે. ધનવૈભવ જીવને જે બાહ્ય અનુકૂળતા કરી આપે છે તેને તેઓ સુખ માને છે. એની પ્રાપ્તિ માટે જીવન વેડફી નાખે છે અને મરણાન્ત સંસાપ્રવાહમાં ફરી પાછા ધકેલાય છે. જ્ઞાની મહાત્માઓએ પોતાની જાતને પદ્ગલિક સુખમાંથી પાછી વાળી લીધેલી હોય છે. હવે સમતાયુક્ત સૂક્તિઓમાં, એવા ગ્રંથોમાં જ તેઓ મગ્ન હોય છે. એથી તેઓ જ્યારે સ્વભાવસુખનો અમૃતમય અનુભવ કરે છે ત્યારે સંસારની વાસનારૂપી વિષ તેમનો સ્પર્શ કરી શકતું નથી. [૪૮] જર્ન જ્ઞાન ગોતું રંગીચાનતુરંગમાં: I
जयन्ति मुनिराजस्य शमसाम्राज्यसंपदः ।। ६ ।। ८ ।। [શબ્દાર્થ પર્વજ્ઞાનના=ગર્જના કરતા જ્ઞાનરૂપી હાથીઓ; કાંપારંપચિન=ઊંચા, નૃત્ય કરતા (ખેલતા) ધ્યાનરૂપ; તુરીમા:=ઘોડાઓ; નત્તિ જયવંતી વર્તે છે; મુનિરાગટ્ય મુનિરાજની, મુનિરૂપ રાજાની, શમસામ્રાજ્ય શમરૂપી સામ્રાજ્યની; સંપર્વ સંપત્તિ.]
અનુવાદ–જેમાં ગર્જના કરતા જ્ઞાનરૂપી હાથીઓ છે અને ખેલતા ધ્યાનરૂપી ઘોડાઓ છે એવી મુનિરૂપી રાજાના ઉપશમરૂપી સામ્રાજ્યની સંપત્તિ જયવંતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org