________________
૯૪
જ્ઞાન સાથે
વર્તે છે. (૮)
વિશેષાર્થ ઃ શમ એટલે કે સમતાનો મહિમા સમજાવ્યા પછી ગ્રંથકારશ્રીએ શમયુક્ત મુનિરાજનું ગૌરવ કરવા માટે એક સરસ રૂપક પ્રયોજ્યું છે. આવા મુનિરાજને બિરદાવવા હોય તો રાજાના પદ સાથે તેમની તુલના કરવી જોઈએ.
જૂના વખતમાં કોઈ પણ શક્તિશાળી રાજાનું સામર્થ્ય કેટલું છે એ દર્શાવવા માટે એમની પાસે કેટલું પાયદળ છે, તથા અશ્વસેના અને હસ્તિસેના કેટલી છે એની ગણના થતી. જેમની પાસે અશ્વસેના અને હસ્તિસેના વધારે હોય તો તે રાજા યુદ્ધમાં અવશ્ય વિજય મેળવી શકે.
મુનિ ભગવંતને જો મહારાજા તરીકે ઓળખાવીએ તો એમની પાસે, મોહરાજારૂપી શત્રુ ઉપર વિજય મેળવવા માટે જ્ઞાનરૂપી હાથીઓ છે. એમની ગર્જનાથી દુશ્મનોનાં ગાત્ર શિથિલ થઈ જાય. વળી આ મહારાજા પાસે ધ્યાનરૂપી અશ્વસેના છે. આ ઘોડાઓ દુશ્મન ઉપર ત્રાટકવા માટે હણહણી રહ્યા છે અને વિજય મેળવવાના ઉલ્લાસમાં તેઓ થનગની રહ્યા છે.
અશ્વસેના અને ગજસેના એ રાજ્યની સંપત્તિ છે. સારામાં સારા હાથી અને ઘોડા વસાવવા માટે રાજા પાસે નાણાં તો જોઈએ જ. એટલે સેનાને રાજ્યની સંપત્તિ તરીકે ગણાવવામાં આવે છે. મુનિ મહારાજ પાસે અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે જ્ઞાનરૂપી ગજસેના અને ધ્યાનરૂપી અશ્વસેનાની વિશાળ સંપત્તિ છે. એટલે એમનો વિજય નિશ્ચિત છે. આવા મુનિ મહારાજાનાં શાસનનો જય હો!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org