________________
૭. ઇન્દ્રિયજયાષ્ટક
૭. ઈન્દ્રિયજયાષ્ટક [૪૯] વિભષિ યદિ સંસાર મોક્ષપ્રાપ્તિ ૨ સિા .
तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।। ७ ।। १ ।। શિબ્દાર્થઃ વિવિ=તું ભય પામે છે; યવિ=જો; સંસાર =સંસારથી, ભવભ્રમણથી; મોક્ષપ્રાતિં=મોક્ષપ્રાપ્તિને; =અને; ક્ષતિ=ઇચ્છે છે; તવા તો; ક્રિયાયં ઇન્દ્રિયોનો જય; તું કરવાને; wોરય પ્રવર્તાવ; ફોરવ;
=દેદીપ્યમાન, પ્રકાશમાન, તેજસ્વી; પૌરુષ—પુરુષાર્થને, પરાક્રમને.. અનુવાદ-જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષની પ્રાપ્તિની અભિલાષા રાખે છે, તો ઇન્દ્રિયોને જીતવા માટે ભવ્ય પુરુષાર્થ ફોરવ ! (૧) | વિશેષાર્થ : સંસારમાં ચારે બાજું અવલોકન કરીએ તો જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ વગેરે પ્રકારનું દુઃખ દેખાય છે, સ્વજન-પરિવારમાં પણ હિંસક અથડામણો થાય છે, કૌટુંબિક સંબંધોમાં વેરઝેરનાં બી વવાય છે, વેરનો બદલો વેરથી લેવાય, હત્યાઓ થાય છે, સામાજિક અને રાજકીય સ્તરે આટલી બધી અરાજકતા પ્રવર્તે છે-સંક્ષેપમાં આટલું બધું દુઃખ સંસારમાં હોવા છતાં એકંદરે કોઈને સંસારનો ડર લાગતો નથી. સંસારમાંથી છૂટવાની વાત બહુ જ ઓછાને ગમે છે. એમાંથી કેવી રીતે છૂટી શકાય એ જાણવાની ઇચ્છા પણ કેટલા ઓછા લોકોમાં હોય છે ! લોકોને તો સારું સારું ખાવાપીવાનું, હરવા ફરવાનું, સુખસગવડનાં સાધનો વસાવી મોજશોખમાં રહેવાનું ગમે છે, કારણ કે તેઓનું સંસારનું અવલોકન સપાટી પરનું હોય છે. સંસારના વાસ્તવિક, તાત્ત્વિક સ્વરૂપનું યથાર્થ દર્શન તેઓને હોતું નથી. એથી એવા લોકોને સંસાર ક્યારેય બિહામણો લાગતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org