________________
૯૬
આમ છતાં જગતમાં પ્રત્યેક કાળે અમુક લોકો એવા રહેવાના કે જેઓને કડવા અનુભવોને કા૨ણે સંસાર પ્રત્યે અભાવ, અરુચિ, નિર્વેદ, વૈરાગ્ય ઇત્યાદિ થાય છે. વળી કેટલાક લોકો એવા પણ રહેવાના કે જેઓને સંસારનું સાચું સ્વરૂપ સમજાય છે તેઓને સંસાર બિહામણો લાગે છે અને સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાની અભિલાષા થાય છે.
જેઓને તાત્ત્વિક સમજણ પછી સંસારનો સાચો ડર લાગે છે એવા લોકોએ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે ભારે પુરુષાર્થ ક૨વો જોઇએ.
વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘ઇન્દ્ર' ધાતુનો અર્થ થાય છે એશ્વર્યવાળો. ઇન્દ્રિય શબ્દ ‘ઇન્દ્ર’ ઉ૫૨થી બન્યો છે. ઇન્દ્રનો એક અર્થ થાય છે જીવ. ઇન્દ્રિય એટલે જીવનું લિંગ અથવા લક્ષણ. ઇન્દ્રિયો એ જીવનું ચિહ્ન અથવા લક્ષણ છે. ઇન્દ્રિય વિના કોઈ સંસારી જીવ સંભવી ન શકે. (સિદ્ધાત્માને ઇન્દ્રિયો-મન, વચન અને કાયા હોતાં નથી.) ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તો સંસારી જીવને હોય જ છે. જે ઇન્દ્રિયો દ્વા૨ા જીવ વિષયોને જાણે છે, કારણ કે જીવમાં જ્ઞાયકપણું છે.
ઇન્દ્રિયોના બે પ્રકાર બતાવવામાં આવે છે-દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય પુદ્ગલ સ્વરૂપ છે અને ભાવેન્દ્રિય આત્માના પરિણામ સ્વરૂપ છે.
દ્રવ્યેન્દ્રિયના બે પ્રકા૨ છે-નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ પ્રકારની ઇન્દ્રિયના પણ બે પ્રકાર છે–બાહ્ય નિવૃત્તિ અને આત્યંતર નિવૃત્તિ. બાહ્ય નિવૃત્તિ એટલે અંગોપાંગ-નામકર્મથી થયેલા શરીરના ભાગો, જેમ કે આંખ, નાક, કાન વગેરે. આત્યંતર નિવૃત્તિ એટલે વિષય ગ્રહણ કરવા માટે પુદ્ગલોથી બનેલો અંદરનો આકાર. ઉપકરણ ઇન્દ્રિય એટલે પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિરૂપી ઈન્દ્રિય.
જ્ઞાનસાર
ભાવેન્દ્રિયના બે પ્રકાર છે-લબ્ધિ અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને વીર્યાન્તરાય-એ કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી, ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરનારી આત્માની શક્તિને લબ્ધિ કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org