SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ઇકિયયાષ્ટક ૯ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન તે ઉપયોગ અથવા લબ્ધિનું જ્ઞાનરૂપ ફળ તે ઉપયોગ. ઇન્દ્રિયો દ્વારા વિષયોનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમાં ઇષ્ટપણું-સારાપણું, અનિષ્ટપણું, ખરાબ પણું વગેરે પ્રકારના જે ભાવો થાય છે તે મોહની પરિણતિ રૂપે હોય છે. આવા ભાવોને અટકાવવા એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતા વિષયોના જ્ઞાનમાં ઇષ્ટ-અનિષ્ટ રૂપે પરિણમનને અટકાવવું. એ ઇન્દ્રિય ઉપરનો જય કહેવાય છે. એમાં દ્રવ્યજય એટલે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ઓછી કરવી, સંકોચવી તે અને ભાવજય એટલે આત્માના ધર્મોનું પરિણમન. એમ ઉભય પ્રકારના ઇન્દ્રિયજય માટે સાધકે અભ્યાસ કરવો જોઇએ. [૫૦] વૃદ્ધાતૃMIળતાપૂરાdવાર્ત: શિનેન્દ્રિયૈ: | मूर्छामतुच्छां यच्छन्ति विकारविषपादपाः ।। ७ ।। २ ।। શબ્દાર્થ વૃદ્ધા =વૃદ્ધિ પામેલા, મોટા થયેલા તૃનતપૂર્વો =તૃષ્ણારૂપી જળથી ભરેલા વાસ્તે =ક્યારા વડે; નિં=ખરેખર; બ્દિ =ઇન્દ્રિયો વડે; મૂચ્છ= મમતાને; ઘેનની અવસ્થાને; મૂર્છાને; મનુષ્ઠાં નાની નહિ એવી, મોટી, ઘણી; યુચ્છન્તિઃ=આપે છે, ઉત્પન્ન કરે છે; વિવાર વિષ-પાપા =વિકારરૂપી ઝેરી વૃક્ષો.] અનુવાદ-તૃષ્ણાના જળ વડે ભરેલા, ઇન્દ્રિયો રૂપી ક્યારાઓથી મોટા થયેલા વિકારના ઝેરી વૃક્ષો ગાઢ મૂર્છા આપે છે. (૨) વિશેષાર્થ : અહીં ઇન્દ્રિયોની તૃષ્ણા માટે એક રૂપક પ્રયોજવામાં આવ્યું છે કે જેથી ઇન્દ્રિયો ઉપરના વિજયની વાત મનમાં ઠસી જાય. (૧) વિકારરૂપી વૃક્ષ છે અને તે પણ ઝેરી છે. (૨) એ વૃક્ષનું બીજ વાવીને એની આસપાસ જે ક્યારો બનાવાવમાં આવ્યો છે તે ઇન્દ્રિયોરૂપી ક્યારો છે. (૩) બીજ વાવ્યા પછી ક્યારામાં પાણીનું જે સિંચન થાય છે તે તૃષ્ણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy