________________
જ્ઞાનસાર
લાલસારૂપી પાણી છે.
આ ક્યારામાં તૃષ્ણારૂપી જલનું સિંચન જો ન કરવામાં આવે તો વિષયવાસનારૂપી વિષવૃક્ષનું બીજ પડ્યું પડ્યું સૂકાઈ જશે. તે અંકુરિત નહિ થઈ શકે. પણ જો તૃષ્ણારૂપી જળનું સિંચન ચાલુ રહેશે તો વિકારરૂપી વૃક્ષ ઉત્તરોત્તર મોટું થતું જશે. ઇન્દ્રિયોરૂપી ક્યારો જલસિંચનમાં સહાયરૂપ થશે. પણ જો જલસિંચન નહિ થાય તો ક્યારો પણ નિરર્થક બની જશે. પરંતુ આ બધું કહીએ એટલું સહેલું નથી. વિકારરૂપી વૃક્ષો મોહને ઉત્પન્ન કરે છે અને મોહ જીવને વિષયાંધ બનાવે છે. માટે મોહને ઓળખવાની અને એને નાથવાની પ્રથમ આવશ્યકતા છે. ઇન્દ્રિયોને એનો ખોરાક જો ન આપવામાં આવે તો મોહનું જોર નબળું પડતું જાય. માણસે એવા ભ્રમમાં ન રહેવું જોઇએ કે એક વખત ઇન્દ્રિયોને એના વિષયો આપી શાંત કરી દઇએ પછી નિશ્ચિત થઈ જવાય. વસ્તુતઃ ઇચ્છાઓ સંતોષવાથી વધતી જાય છે. કહ્યું છે કે ઇચ્છાઓ આકાશ જેટલી અનંત છે. ઉત્તરાધ્યયનસૂત્ર (૯-૪૮) માં કહ્યું છે:
सुवन्नरूप्पस्स य पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स विलुद्धस्स न हुन्ति किंचि,
इच्छा हु आगाससमा अणंतया ।। (સોનાના અને રૂપાના કૈલાસ પર્વત જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ અત્યંત લોભી માણસને પોતાની પાસે તો કંઈ જ નથી' એમ લાગે છે, કારણ કે ઇચ્છા આકાશ જેવી અનંત છે.)
वारमणंतं भुत्ता वंता चत्ता य धीरपुरिसेहिं ।
ते भोगा पुण इच्छइ भोत्तुं तिण्हाउलो जीवो ।। (જે ભોગોને જીવે અનંત વાર ભોગવીને વસી નાખ્યા છે અર્થાત્ છોડી દીધા છે અને જેનો ધીર પુરુષોએ ત્યાગ કરેલો છે તે ભોગોને તૃષ્ણાથી વ્યાકુળ થયેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org