________________
૭. ઇન્દ્રિયજયાષ્ટક
જીવ ફરી ભોગવવા ઇચ્છે છે.)
જીવને આહાર વગેરેની સંજ્ઞાઓ અનાદિ કાળથી વળગેલી છે. એટલે સંજ્ઞા અનુસાર એને વિવિધ વિષયોના ભોગોપભોગની તૃષ્ણા સતત રહ્યા કરે છે. પરંતુ તૃષ્ણા તૃપ્ત કરવાથી શાન્ત થતી નથી, પણ તે પાછી વધારે અનુપ્ત થઈને ભોગસામગ્રીની ઉગ્ર લાલસા ધરાવવા લાગે છે. તૃષ્ણા જ્યારે બળવાન બને છે ત્યારે જેમને સંયમની ભાવનાનો ક્યારેય સ્પર્શ થયો નથી હોતો એવા જીવોને વશ કરી દે છે. એવા જીવો અત્યંત વ્યાકુળ અને બહાવરા બની જાય છે.
એટલા માટે જે જીવો ધર્મ તરફ વળે છે, અધ્યાત્મરુચિ ધરાવે છે તેવા જીવોએ તૃષ્ણાને જીતવા માટે ત્યાગ-વૈરાગ્યનો અભ્યાસ વધારતા જવું જોઈએ અને સંયમમાં દઢ રહેવું જોઈએ. [૫૧] સરિત્સહસ્ત્રફુગ્ગરસમુદ્રોસોવર: |
તૃપ્તિમાન નેન્દ્રિયગ્રામો ભવ તૃપ્તોડનારાભના ૭ / રૂ II [શબ્દાર્થ સરિ=નદી; સત્ર=હજારો; કુબૂર=ન પૂરાઈ શકે, ન ભરાઈ શકે એવા સમુદ્રોવર=સમુદ્રનું પેટ, સોવર: સમાન, જેવા; તૃપ્તિમાન =તૃપ્ત; ન=નથી; ન્દ્રિયામ:=ઇન્દ્રિયોનો સમૂહ; મ=થા; તૃપ્ત તૃપ્ત, સંતોષી; અંતરાત્મના અંતરાત્મા વડે.] અનુવાદ-હજારો નદીઓ વડે ન પૂરી શકાય એવા સમુદ્રના ઉદર જેવો ઇન્દ્રિયોનો સમૂહ તૃપ્ત થતો નથી. માટે અંતરાત્મા વડે તૃપ્ત થા ! (૩) વિશેષાર્થ : ઇન્દ્રિયોના સમૂહ માટે અહીં સમુદ્રની ઉપમા આપવામાં આવી છે.
સમુદ્રનું પેટ કેટલું મોટું છે ! અનંત કાળથી હજારો નદીઓ રોજે રોજ નિરંતર પોતાનું બધું પાણી સમુદ્રના ઉદરમાં ઠાલવે છે, છતાં સમુદ્ર ક્યારેય એવું કહ્યું નથી અને કહેવાનો નથી કે “બસ, હવે મારું પેટ ભરાઈ ગયું છે. તમે હવેથી મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org