________________
૧૦૦
જ્ઞાનસાર
વધુ જલ આપવાનું બંધ કરો.”
આપણી પાંચ ઇન્દ્રિયોની પ્રકૃતિ પણ સમુદ્ર જેવી જ અતલ ઉંડાણવાળી છે. ઇન્દ્રિયો અનંતકાળથી ભોગો ભોગવવા છતાં ક્યારેય એમ નહિ કહે કે અમે તપ્ત થઈ ગઈ છીએ અને અમારે હવે નવા કોઈ ઉપભોગની જરૂર નથી, કે અપેક્ષા નથી. ઇન્દ્રિયોને વર્તમાનમાં ભોગવાતા વિષયો માટે આસક્તિ, મમતા, આકર્ષણ, લગની ઇત્યાદિ રહે છે. નહિ ભોગવેલા એવા નવા નવા વિષયો ભવિષ્યમાં ભોગવવા માટે ઉત્કંઠતા, ઉત્સુકતા, આકાંક્ષા, સ્વપ્નાં ઇત્યાદિ રહે છે અને ભૂતકાળમાં ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ થાય છે. ઇન્દ્રિયો ક્યારેય નવરી પડતી નથી. એની પ્રવૃત્તિઓ ત્રણે કાળ અવિરત ચાલતી રહે છે. તે સદાય ભૂખી અને ભૂખી રહે છે.
પરંતુ ઇન્દ્રિયોને ભોગો વડે તૃપ્ત કરવાનો વૃથા પ્રયત્ન કરવાને બદલે સંતોષ, સંયમ, ત્યાગ વગેરેથી શાન્ત કરી શકાય છે. વસ્તુતઃ આત્માનું, આત્મસ્વરૂપનું આલંબન લેવાથી ઇન્દ્રિયોની પરાધીનતા મટી જાય છે, ક્રમે ક્રમે તૃષ્ણાનો ક્ષય થાય છે. જ્યાં સુધી શરીર એ જ આત્મા છે એવી ભ્રાન્તિ રહ્યા કરે ત્યાં સુધી ઇન્દ્રિયો બળવાન જ રહેવાની. ખાવાપીવામાં, હરવાફરવામાં અને કામભોગોમાં રસ પડવાનો. પણ સાચું સુખ ઇન્દ્રિયોનું નહિ, પણ આત્માનું છે, આત્મસ્વરૂપની રમણતાનું છે એવી સમજ આવે અને એવો અનુભવ થવા લાગે ત્યારે ચિત્ત ઇન્દ્રિયોના વિષયોમાંથી નિવૃત્ત થઈ તપ, જપ, જિનભક્તિ, ગુરુસેવા, શાસ્ત્રાભ્યાસ, ધ્યાન ઇત્યાદિમાં વધુ રસ લેવા લાગે છે. ત્યારે ઇન્દ્રિયોના વિષયો એને એંઠવાડ જેવા લાગે છે. એમાંથી રૂચિ નીકળી જાય છે. સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રયીની આરાધનાની પ્રવૃત્તિ જ્યારે જોર પકડે છે ત્યારે પરભાવો અને પરપુદ્ગલ તરફનું એનું ખેંચાણ ઘટી જાય છે. ઇન્દ્રિયોના વિષયો ગમે તેટલા રસિક અને આકર્ષક હોય પણ અંતે તો એ દુર્ગતિ તરફ લઈ જનારા છે એવી શ્રદ્ધા દઢ થતાં જીવ અંતર્મુખ બને છે. એની યાત્રાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org