________________
૭. ઇન્દ્રિયજયાષ્ટક
૧૦૧
દિશા હવે બદલાઈ જાય છે. તે આત્મસ્વરૂપમાં રમણ કરવા લાગે છે. .
એટલા માટે જીવે ઇન્દ્રિયોની તૃપ્તિ તરફ નહિ પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ તરફ લક્ષ રાખી તદનુસાર પુરુષાર્થ કરતા રહેવું જોઇએ.
શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી” ટીકામાં ઉપદેશમાલા'ની નીચેની ગાથા ટાંકી છે.
विसयाविसं हालाहलं, विसयविसं उक्कडं पीयंताणं ।
विसयविसाइन्नं पिव, विसयविसविसूइया होइ ।। [વિષયરૂપી વિષ (સંયમરૂપી જીવિતનો નાશ કરનાર હોવાથી) હાલાહલ ઝેર છે. વિષયરૂપી વિષનું (અથવા નિર્ભેળ વિષનું) ઉત્કટપણે પાન કરનારને વિષયરૂપી વિષથી અજીર્ણ થાય છે (એટલે ન પચવાથી મૃત્યુ થાય છે, અને કાં તો વિષયવિષથી વિસૂચિકા (ઝાડા-ઉલટી) થાય છે.]. વળી કહ્યું છે.
कामभोग ग्रहो दुष्टः कालकूटविषोपमः । तव्यामोहनिवृत्त्यर्थमात्मभावोऽमृतोपमः ।। [કામભોગ દુષ્ટ ગ્રહ જેવા અને કાળકૂટ વિષ સમાન છે. તેનો વ્યામોહ (બ્રાન્તિ) દૂર કરવા માટે આત્મભાવ અમૃત સમાન છે.]
આમ, જીવ જ્યારે વિષયોને કાળકૂટ ઝેર સમાન લેખે છે ત્યારે જ આત્માના અમૃતપાન તરફ તે અભિમુખ થાય છે. એ માટે આરંભમાં ઇન્દ્રિયોને વિષયાંતર કરાવવાની, અશુભ કે અપ્રશસ્ત વિષયોમાંથી શુભ કે પ્રશસ્ત વિષયો તરફ વાળવાની જરૂર છે. નયનોનો ઉપયોગ હવે જિનેશ્વર પરમાત્મા, ગુરુ ભગવંત વગેરેનાં દર્શનમાં કરવો જોઈએ. શ્રવણેન્દ્રિયનો ઉપયોગ હવે શ્રુતજ્ઞાનના શ્રવણમાં થવો જોઈએ. જિદ્વાનો ઉપયોગ સ્તવન-સક્ઝાય લલકારવામાં, સ્તોત્રોના રટણમાં થવો જોઈએ. તેની સાથે સાથે મનને પરમાત્માના સ્વરૂપના અને આત્મસ્વરૂપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org