________________
૧૦ ૨
જ્ઞાનસાર
ચિંતનમાં, ધ્યાનમાં લગાડી દેવું જોઈએ. એનો મહાવરો થતાં સાચી તૃપ્તિ તરફ જીવ ગતિ કરતો જશે. [૫૨] યાત્માનં વિષયૂ: પાશ્ચર્મવવાસપ૨ાતમુરમ્ |
इन्द्रियाणि निबध्नन्ति मोहराजस्य किंकराः ।। ७ ।। ४ ।। [શબ્દાર્થઃ માત્માનં=આત્માને; વિષયૅ: પારો:=વિષયોરૂપ બંધનો વડે ભવવા=સંસારવાસ, ભવભ્રમણ પર મુવ=પરાડુમુખ થયેલા વિમુખ બનેલા, મઢું ફેરવી ગયેલા, ઉદ્વિગ્ન બનેલા ક્રિયાબિ=ઇન્દ્રિયો; નિખનિત=બાંધે છે; મોદરાનસ્થ મોહરાજાના, ફિર :=દાસ-દાસી, નોકરો]
અનુવાદ–મોહરાજાની દાસીરૂપ ઇન્દ્રિયો સંસારવાસથી વિમુખ થયેલા આત્માને વિષયોરૂપી પાશથી બાંધે છે. (૪)
વિશેષાર્થ : અહીં સંસારને એક સામ્રાજ્યનું રૂપક આપવામાં આવ્યું છે. આ સામ્રાજ્યનો સમ્રાટ છે મોહરાજા. ઇન્દ્રિયો તેની કિંકરા એટલે કે નોકરાણીઓ, સેવિકાઓ છે. “ઉપમિતિ ભવપ્રપંચ'માં આવું જ રૂપક આપ્યું છે. ત્યાં રાજાનો પુત્ર છે રાગકેસરી અને પ્રધાન છે વિષયાભિલાષ. તેઓ જગતને પોતાને વશ રાખે છે.
મોહરાજા જગતના જીવોને ઇન્દ્રિયોના બાંધે છે અથવા પાશથી બંધાવે છે. પાશ એટલે દોરડું. સજા પામેલા કેદીને હાથે પગે દોરડું બાંધવામાં આવે છે. (હવે સાંકળ પણ બંધાય છે.) પાશ એ દોરડામાંથી બનાવેલો ફાંસો (ગાળિયો) છે. જૂના વખતમાં પાશ નાખવાની તાલીમ અપાતી. ભાગી જતા માણસને દોરડાનો ફાંસો ઉછાળી એના ગળામાં નાખીને પાછો ખેંચી લેવાતો. ઇન્દ્રિયોનો ગાળિયો ભલભલા માણસોને બંધનમાં નાખી દે છે. ઇન્દ્રિયો જીવોને ભ્રમણામાં નાખી દે છે. તેઓ માણસ પાસે અવળી મતિ કરાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org