________________
૭. ઇન્દ્રિયજયાષ્ટક
૧૦૩
પોતાના બંધનમાં જકડી લે છે. માણસ સંસારથી ઉદ્વેગ પામેલો હોય, ત્યાગ વૈરાગ્ય તરફ વળેલો હોય, તપ જપ કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય, ધ્યાન ધરતો હોય તો પણ ઇન્દ્રિયો એને લોભામણી વાતો કરે છે અને કુતર્કથી સમજાવે છે કે જેથી મુંઝાયેલા જીવને એમ લાગે છે કે શરીર સારું હશે તો ભવિષ્યમાં ધર્મ સારી રીતે કરી શકાશે, કારણ કે ધર્મ સાધનાનું પહેલું પગથિયું છે શરીરની સુદઢતા. એટલે જીવ શરીરને સુદઢ કરવા માટે એવા પ્રકારના ગરીષ્ઠ ખાનપાન તરફ વળી જાય છે. એમ કરતાં તે રસલોલુપ બને છે અને ધર્મની મૂળ વાતને ભૂલી જાય છે. જીવને ખબર નથી પડતી કે વસ્તુતઃ પોતે વધુ ગાઢ બંધનમાં બંધાતો જાય છે.
સંસારની આવી વિષમ પરિસ્થિતિનો વિચાર કરી જાગૃત જીવે મોહરાજાની જાળમાં ફસાવું ન જોઈએ. ફસાયા હોઈએ તો વહેલી તકે એમાંથી બહાર નીકળી જવું જોઈએ. [૫૩] ઉરિમૃત્ન નં પશ્યન્ થાવતિ ઝિયમોહિત
अनादिनिधनं ज्ञानधनं पार्श्वे न पश्यति ।। ७ ।। ५ ।।
[શબ્દાર્થ ગિરિમૃત્ના પર્વતની માટીને, ધનં=ધનરૂપે; પશ્ચ=જોતો; ધાવતિ=દોડે છે; ન્દ્રિયોહિત =ઇન્દ્રિયોના વિષયમાં મોહિત થયેલો; અનાવિનિધનં અનાદિ અનન્ત; જ્ઞાનં=જ્ઞાનરૂપ; ધનં=ધનને; પાર્શ્વ=પાસે રહેલા; ન=નથી; પતિ જોતો.] અનુવાદ–ઇન્દ્રિયોથી મોહિત થયેલો જીવ પર્વતની માટીને ધનરૂપે જોઈને દોડે છે, પરંતુ પાસે રહેલા અનાદિ-અનંત જ્ઞાનધનને જોતો નથી. (૫) વિશેષાર્થ : એક બાજુ ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ અને બીજી બાજુ આત્મસ્વરૂપની પ્રવૃત્તિઓ એ વચ્ચેનો ભેદ સરસ દૃષ્ટાન્ત વડે અહીં સમજાવવામાં આવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org