________________
૧૦૪
જ્ઞાનસાર
સામાન્ય વેપારમાં કંઈ કશ નથી, પણ કંઈક શ્રમ કરીને ઘણું બધું ધન મેળવવું હોય તો એક કષ્ટભર્યો ઉપાય છે. તો જૂના વખતમાં એ માટે જે ડુંગરોમાં સોનું, રૂપું કે હીરામાણેકના કાચા અંશો જ્યાં જણાતા હોય ત્યાં ખોદકામ કરવું, ખાણ બનાવવી અને માટીમાંથી નીકળતા સુવર્ણાદિના કાચા પથ્થરો એકઠા કરી, સાફ કરી, ઓગાળવા. એમાંથી સુવર્ણ, ચાંદી વગેરે જો મેળવાય તો એની સારી કિંમત ઊપજે. એ રીતે માણસ ધનવાન બની શકે છે. પ્રાચીન સમયમાં ધન મેળવવા લોકો દૂરના ડુંગરોમાં પહોંચી જતા, પરંતુ એ માટે મહેનત ઘણી કરવી પડે છે. એ માટે બહાર તડકામાં દૂર દૂર સુધી રખડવું પડે છે. આખો દિવસ કાળી મજૂરી કરવી પડે છે. કોઈવાર એમાંથી કશું પણ ન મળે. મહેનત માથે પડે. પરંતુ એવી રીતે પુરુષાર્થ કરવાથી શ્રીમંત બની શકાય છે. અલબત્ત, એ રીતે જે ધન મળે તે નાશવંત છે, ચોરાઈ જવાનો ભય છે. ઘરાક ન હોય તો મહેનત માથે પડે છે.
બીજી બાજુ જીવ જો ચિંતન કરે તો પોતાના આત્મામાં પોતાની પાસે જ ધન રહેલું જણાશે. એ જ્ઞાનરૂપી ધન છે. એ મેળવવા માટે બહાર ભટકવું નથી પડતું. જે પુરુષાર્થ કરવાનો છે તે અંદરનો છે. એ ધન નિશ્ચિત રૂપે છે, અવિનાશી અનાદિ કાળથી એ પડેલું છે. જીવ નિગોદમાં હતો ત્યારે પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલો ઉઘાડ ધરાવતું એ જ્ઞાન સત્તામાં રહેલું હતું. કર્મરૂપી ડુંગરોમાં એ દટાયેલું પડ્યું છે. એ ખોદીને બહાર કાઢવાનું છે. જ્ઞાનરૂપી એ ધનને જેમ જેમ વિશુદ્ધ કરતા જઈએ તેમ તેમ એ સમ્યગુજ્ઞાન રૂપે પ્રગટ થાય છે અને છેવટે કેવળજ્ઞાનરૂપે પ્રકાશિત થાય છે. જીવમાં સત્તાગત કેવળજ્ઞાન રહેલું છે. મોહનીય વગેરે કર્મોના આવરણને લીધે એ દેખાતું નથી. તત્ત્વના અવબોધરૂપ એ જ્ઞાન માટે જરૂર છે પુરુષાર્થ કરવાની. કહ્યું છેઃ
कैवलनाणमणंते जीवसरूपं तयं निरावरणं । એટલે કે “અનન્ત અને આવરણરહિત કેવળજ્ઞાન જીવના સ્વરૂપભૂત છે. આમ કેવળજ્ઞાન અનાદિ અનંત છે. સિદ્ધાવસ્થામાં પણ તેનો નાશ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org