________________
૭. ઇન્દ્રિયજયાષ્ટક
૧૦૫
એટલા માટે જીવે ઇન્દ્રિયોના બાહ્ય વિષયો રૂપી સોનું, ચાંદી મેળવવાનો પુરુષાર્થ છોડી દઈ, વિષયોથી મોહિત થયા વિના, પોતાના અંતરાત્મામાં દટાયેલા અવિનાશી જ્ઞાનધનને મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. [૫૪] પુર: પુર: રતૃM મૃતૃધ્ધનુરિપુ !
ક્રિયા થૈષ ઘાવતિ ત્યવસ્વ જ્ઞાનામૃતં ગરી: | ૭ | દ II. [શબ્દાર્થ પુર: પુર:=આગળ આગળ, ઉત્તરોત્તર; મુરત્ તૃMT:=વધતી જતી તૃષ્ણા જેઓને છે એવા; મૃતૃષ્ણા ઝાંઝવાનાં જળ જેવી તૃષ્ણા, મનુરિપુ =એના જેવા; ન્દ્રિયાર્થીષ ઇન્દ્રિયોના વિષયોમાં; ધવનિત દોડે છે; જ્હા છોડીને; જ્ઞાનામૃતં=જ્ઞાનરૂપી અમૃતને; નડી:=જડ લોકો, મૂર્ખ, અજ્ઞાની.]
અનુવાદ–ઉત્તરોત્તર વધતી જતી તૃષ્ણા જેઓને છે એવા જડ માણસો જ્ઞાનરૂપી અમૃતને છોડીને ઝાંઝવાનાં નીર જેવા ઇન્દ્રિયોના વિષયોમાં દોડે છે. (૬)
વિશેષાર્થ : ઇન્દ્રિયોના વિષયોની તૃપ્તિ કરવાનો પ્રયાસ કરવાથી વસ્તુતઃ તૃપ્તિ થતી નથી. ઇન્દ્રિયો તો મોટી સળગતી ભઠ્ઠી સમાન છે. એમાં ગમે તેવા ભોગસુખો નાખો, તો તે ભસ્મ થઈ જશે અને ભઠ્ઠી નવા સુખભોગ માગશે. ઉદાહરણ તરીકે ભોજનનો વિષય લઈએ. માણસને સારું સ્વાદિષ્ટ ખાવું ગમે છે, પણ ભોજનનો આનંદ માણી લીધા પછી થોડી વારમાં પેટ ખાલી થઈ જાય છે અને ફરી તે ભોજન માગે છે. પરંતુ કોઈ માણસ એમ ખાધા કરે તો એને અજીર્ણાદિ રોગો થાય છે. ભોજનની પણ એક મર્યાદા છે. એનો અતિભોગ નથી થઈ શકતો અને છતાં જો અતિભોગ કરવામાં આવે તો એનાં માઠાં પરિણામ ભોગવવાનો વખત આવે છે. આવું જ કામભોગના વિષયમાં છે.
માણસની ભોગોપભોગ માટેની લાલસા ઉત્તરોત્તર મૃગતૃષ્ણાની જેમ વધતી જાય છે. સૂર્યના તેજને કારણે રેતી ચળકતી જોઈને એ પાણી છે એમ સમજીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org