SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જ્ઞાનસાર પાણી પીવા મૃગ દોડે છે. જેમ દોડે છે તેમ મૃગજળ આવું થતું જાય છે અને છેવટે તરસ્યું હરણ થાકીને મૃત્યુ પામે છે. મનુષ્યની ભોગોપભોગ માટેની વાસનાઓ પણ આમ ઉત્તરોત્તર વધતી રહે છે. ધન, માલમિલકત, સ્વજન પરિવાર, યશકીર્તિ વગેરે માટેની માણસની તૃષ્ણા ક્યારેય સંતોષાતી નથી. ઉત્તરોત્તર તે વધતી જ જાય છે. પરિણામે નિરાશા, કુલેશ, ઉદ્વેગ, ખેદ વગેરે ઉત્પન્ન થાય છે અને વધતાં જાય છે. આમ છતાં માણસોની આંખ જો ન ઊઘડતી હોય તો એ એમની મૂર્ખતા છે, જડતા છે. એવા માણસો પૂંછડા વિનાના પશુ જેવા ગણાય છે. ઉમાસ્વાતિ મહારાજે “પ્રશમરતિ'માં કહ્યું છેઃ __येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत् । (જેઓને વિષયોમાં આસક્તિ છે તેઓને મનુષ્ય ન ગણવા.) ચાર ગતિમાં માત્ર મનુષ્ય ભવમાં જ ઇન્દ્રિયોના ભોગોપભોગ તુચ્છ અને અસાર છે એ વિશે સાચી સમજ આવે છે અને તે બહુ જ થોડા લોકોને. ઇન્દ્રિયોના આનંદ કરતાં જ્ઞાનરૂપી અમૃતના પાનનો આનંદ ઘણો ચડિયાતો છે એ તો યોગ્ય અધિકારી માણસને જ સમજાય છે અને સમજાયા પછી પણ બહુ જ થોડા એનો અમલ-અનુભવ કરી શકે છે. પરંતુ એક વખત જ્ઞાનામૃતનો આનંદ જેમણે ચાખ્યો છે અને માણ્યો છે તેમને પછી સંસારનાં સર્વ સુખો તુચ્છ લાગે છે. આ અવિનાશી જ્ઞાનામૃત ઉત્તરોત્તર એને મોક્ષસુખ તરફ લઈ જાય છે. [૫૫] પતામૃમીનેમ-સર યાતિ લુશામ્ एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ।। ७ ।।७।। [શબ્દાર્થ પત=પતંગિયું; મૃ=ભમરો; મીન=માછલી; રૂમ=હાથી; સાર: હરણ; યાન્તિ પામે છે; ઉર્વશાદુર્દશાને; પર્વ =એક એક; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy