________________
૭. ઇજિયજયાષ્ટક
૧૦૭
ન્દ્રિયોષા–ઇન્દ્રિયના દોષથી, વેજો, દુષ્ટ =દુષ્ટવડે, દોષવાળી વડે; તૈ=તે વડે; નિ–શું ન થાય? પડ્યૂમિ=પાંચ વડે.]
અનુવાદ-જો પતંગિયું, ભમરો, માછલી, હાથી અને હરણ એક એક ઇન્દ્રિયના દોષથી દુર્દશાને પામે છે, તો દોષવાળી પાંચ ઇન્દ્રિયોથી તો શું ન થાય ? (૭) વિશેષાર્થ સંસારમાં એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના અનંતાનંત જીવો છે. જેમ ઇન્દ્રિય વધારે તેમ જીવનો ઉઘાડ વધુ. પણ એ જ ઇન્દ્રિયો જીવને મૃત્યુને ભેટવામાં પણ નિમિત્ત બની શકે છે. સ્થૂલ ઇન્દ્રિયોના ભૌતિક રસમાં જીવે લુબ્ધ ન થવું જોઈએ. જેમ ઇન્દ્રિયો વધારે તેમ ઉપભોગનાં સાધનો વધારે અને અવકાશ પણ વધારે. માણસ ઇન્દ્રિય-લુબ્ધ બને તો એનું પતન નિશ્ચિત થઈ જાય છે.
અહીં એક એક ઇન્દ્રિયમાં લુબ્ધ બનેલા જીવો કેવી રીતે મૃત્યુને ભેટે છે તેનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. ( પતંગિયું કેટલું સુંદર હોય છે. રંગો અને એની સુંદર ભાતનું કેટલું બધું વૈવિધ્ય પતંગિયામાં જોવા મળે છે. પણ એ પતંગિયું દીવાને જોતાં એની તરફ ધસી જાય છે. એ રૂપમાં આસક્ત બને છે. દીવો જોવો એ પતંગિયા માટે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. દીવાની આસપાસ ઘૂમતાં અને છેવટે દીવા પર ધસી જતાં પતંગિયું બળીને ખાક થઈ જાય છે.
ભમરો સુગંધનો લુબ્ધ છે. ફૂલની સુગંધ એનાથી ખમાતી નથી. એને એમ થાય છે કે કેવી રીતે બધી સુગંધ એક સાથે ભોગવી લઉં ! એ કમળ પર બેસે છે. આ એવું કમળ છે કે જે સૂર્યના ઊગવા સાથે ઊઘડે છે અને આથમવા સાથે બિડાય છે. ભ્રમર કમળની સુગંધમાં એટલો બધો પરવશ બની જાય છે, ભાન ભૂલી જાય છે કે સૂર્યાસ્ત સમયે કમળ બિડાઈ જાય તે પહેલાં પોતે ઊડી જવું જોઈએ. પણ એ ઊડતો નથી અને કમળમાં આખી રાત પુરાઈ રહે છે અને એથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org