________________
લહિયા પાસે હસ્તપ્રત લખાવવાનો પ્રશ્ન ગંભીર હતો. અનેક કવિલેખકોમાંથી કોઈક જ પોતે સારા લહિયા હોય અને પોતાની કૃતિની હસ્તપ્રત પોતે તૈયાર કરી શકે એવા હોય. એમાં સમય પણ ઘણો જતો. એટલે નવી કૃતિની રચના કરવી કે પોતાની કૃતિની હસ્તપ્રત તૈયાર કરવામાં સમયનો વ્યય કરવો એવો પ્રશ્ન રહેતો. શ્રી યશોવિજયજી કુશળ લહિયા પણ હતા. એમની સ્વહસ્તલિખિત એવી ઘણી કૃતિઓ સાંપડે છે.
શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજી પણ સારા લહિયા હતા. એમણે શ્રી યશોવિજયજીની કેટલીક કૃતિઓની હસ્તપ્રતો લખી આપી છે. ગુરુમહારાજ પોતાના શિષ્યની કૃતિની હસ્તપ્રતો તૈયાર કરી આપે એવું અન્ય કોઈ ઉદાહરણ જાણવામાં નથી. એ ઉપરથી શ્રી નવિજયજી મહારાજની શિષ્યવત્સલતા કેટલી બધી હશે અને ગુરુ-શિષ્યનો સંબંધ પરસ્પર કેટલો સ્નેહાદરવાળો હશે તે જણાય છે.
શ્રી યશોવિજયજીએ તર્ક અને ન્યાયનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમના જેવા સમર્થ તાર્કિકને મલ્લવાદીસૂરિકત “દ્વાદશાર નયચક્ર' જેવો ગ્રંથ વાંચવાનું મન થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ ગ્રંથ નષ્ટ થઈ ગયો હોવાનું મનાતું હતું. શ્રી યશોવિજયજીએ પોતાના વિહારમાં આવતાં બધાં ગામોમાં અને અન્યત્ર તપાસ કરાવી હતી, પરંતુ એ ગ્રંથ એમને મળ્યો ન હતો. કેટલાક સમય પછી પાટણમાંથી એક હસ્તપ્રતની ભાળ મળી. સિહંવાદીગણિએ નયચક્ર ઉપર અઢાર હજાર શ્લોક પ્રમાણ લખેલી ટીકાની એ હસ્તપ્રત હતી. હસ્તપ્રત જીર્ણશીર્ણ હાલતમાં હતી. થોડા દિવસ માટે જ એ મળી હતી. શ્રી યશોવિજયજીએ વિચાર્યું કે મુળ ગ્રંથ તો મળતો નથી, પણ મૂળ ગ્રંથની ઝાંખી કરાવે એવી ટીકા પણ જો નષ્ટ થઈ જશે તો બધું જ જશે. એના ઉપરથી નવી હસ્તપ્રત તૈયાર કરી લેવી જોઈએ. પણ એકલે હાથે ઓછા દિવસમાં એ કેમ થાય ? એમણે ગુરુમહારાજને વાત કરી. સમુદાયના સાધુઓમાં વાત થઈ. કામની વહેંચણી થઈ અને શ્રી નયવિજયજી અને શ્રી યશોવિજયજી ઉપરાંત શ્રી જયસોમ પંડિત, શ્રી લાભવિજય મહારાજ, શ્રી કીર્તિરત્નમણિ, શ્રી તત્ત્વવિજયજી મહારાજ અને શ્રી રવિવિજય પંડિત–એમ સાત
40
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org