________________
મુનિ ભગવંતોએ મળીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ લખાણની નકલ તેયાર કરી લીધી. વ્યવસાયી લહિયાઓએ નહિ પણ એક સાથે સાત મુનિ ભગવંતોના સંયુક્ત હસ્તે એક જ હસ્તપ્રત તૈયાર થઈ હોય એવું આ વિરલ ઉદાહરણ એમની શ્રુતભક્તિની સુંદર પ્રતીતિ કરાવે છે. એમાં ૪૮૦૦ શ્લોકનું લખાણ શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં છે. (આ હસ્તપ્રત પછી અમદાવાદના દેવસાના પાડાના ભંડારમાં આવેલી અને ત્યાંથી હવે તે એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં છે. મૂળ નયચક્ર ગ્રંથની બધી હસ્તપ્રતો નષ્ટ થઈ ગયેલી, પરંતુ સદ્ભાગ્યે તિબેટમાં ભાષા સંસ્કૃત પણ તિબેટી લિપિમાં એ ગ્રંથ સચવાયેલો છે. એના ઉપરથી પૂ. જંબૂવિજયજી મહારાજે તિબેટી લિપિ–ભાષા શીખી સંસ્કૃત ગ્રંથ સંપાદિત કર્યો છે, જે પ્રકાશિત થયેલો છે.)
શ્રી યશોવિજયજી મહારાજે પોતે જે જે રચના કરી તેમાંથી તેમણે સ્વહસ્તે લખેલી ત્રીસથી વધુ હસ્તપ્રતો આપણને જુદા જુદા ભંડારોમાંથી મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રતો એમના પોતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે.
અત્યાર સુધીમાં મહોપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથો એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છેઃ
૧. આર્ષીય મહાકાવ્ય (અપૂર્ણ), ૨. તિન્વયોક્તિ (અપૂર્ણ), ૩. નિશામુક્તિ પ્રકરણ, ૪. શ્રી વિજયપ્રભસૂરિ શામણક વિજ્ઞપ્તિ પત્ર, ૫. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ટીકા (અપૂર્ણ), ૬. જંબુસ્વામી રાસ, ૭. આરાધક વિરાધક, ચતુર્ભગી-સ્વોપજ્ઞટીકા સહ, ૮. અધ્યાત્મસાર, ૯. પ્રમેયમાલા (અપૂર્ણ), ૧૦. દ્રવ્યગુણ પર્યાય રાસ–બાલાવબોધ સહિત, ૧૧. ધર્મપરીક્ષા સ્વોપજ્ઞ ટીકામાં ઉમેરણ ૧૨. આત્મખ્યાતિ, ૧૩. ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથનો અંતિમ ભાગ, ૧૪. નરહસ્ય, ૧૫. ભાષારહસ્ય, ૧૬. વાદમાલા (અપૂર્ણ), ૧૭. સ્યાદ્વાદરહસ્ય ૧૮. માર્ગ પરિશુદ્ધિ, ૧૯. વૈરાગ્ય કલ્પલતા, ૨૦. યોગબિન્દુ અવચૂરી, ૨૧.યોગદષ્ટિ સમુચ્ચય અવચૂરી (અપૂર્ણ), ૨૨. સ્વાદુવાદ રહસ્ય–બહદુ (અપૂર્ણ), ૨૩.
41.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org