________________
તત્ત્વાર્થવૃત્તિ, ૨૪. વૈરાગ્યરતિ (અપૂર્ણ), ૨૫. સ્તોત્રત્રિક, ૨૬. ઉત્પાદાસિદ્ધિ પ્રકરણ ટીકા (અપૂર્ણ), ૨૭. ન્યાયાલોક, ૨૮. યોગવિંશિકાવૃત્તિ, ૨૯. વિષયતાવાદ, ૩૦. સ્તોત્રાવલી-સ્તોત્રત્રિક, ૩૧. અષ્ટસહસી, ૩૨. કાવ્યપ્રકાશટીકા (અપૂર્ણ).
આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથો પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈનષ્ટ પામ્યાં છે. કચરો માનીને સાબરમતી નદીમાં પધરાવવા માટે લોકો લઈ જતા હતા તેવાં પાનાંઓમાંથી તેમનો “યોગવિંશિકાવૃતિ' ગ્રંથ મળી આવ્યો છે.
શ્રી યશોવિજયજીએ પોતાના હસ્તાક્ષરમાં બીજા ગ્રંથકારોના ગ્રંથોની પોતાના ઉપયોગ માટે કરેલી નકલો પણ ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ ઉપરથી પ્રતીત થાય છે કે પોતાના આટલા બધા ગ્રંથોની રચના કરવાના સમય ઉપરાંત એમણે આ બધી હસ્તપ્રતિઓ તૈયાર કરવામાં પણ કેટલો બધો સમય આપ્યો હશે ! જૈન સાધુ રાત્રે તો લખવા-વાંચવાનું કાર્ય કરે નહિ, એટલે શ્રી યશોવિજયજીએ પોતાના તમામ સમયનો ચીવટભર્યો ઉપયોગ કર્યો હશે તે આ ઉપરથી જણાય છે.
સાહિત્યસર્જન મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ નવ્ય ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ તત્ત્વજ્ઞાન , આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તથા વ્રજ અને રાજસ્થાની મિશ્ર ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં સામાન્ય માણસ પણ સમજી શકે એટલી સરળ કતિઓ છે અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી હદે રહસ્યવાળી કઠિન કૃતિઓ પણ છે.
એમણે રચેલી સંસ્કૃત તથા પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ, પ્રકાશિત કૃતિઓ નીચે પ્રમાણે છેઃ ૧. અધ્યાત્મ મત પરીક્ષા-આ ગ્રંથનું બીજું નામ “અધ્યાત્મ મત ખંડન' છે.
42
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org