________________
કર્તાએ મૂળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો લખ્યો છે. તેના ઉપર પોતે જ ચાર હજાર શ્લોકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવળી ભગવંતોને કવલાહાર હોય જ નહિ એ દિગમ્બર માન્યતાનું ખંડન કરીને કેવળીને કવલાહાર અવશ્ય હોઈ શકે એમ તર્કયુક્ત દલીલો સાથે સિદ્ધ કર્યું છે. દિગમ્બરોની બીજી માન્યતા કે તીર્થકરોનું પરમોદારિક શરીર ધાતુરહિત હોય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડન કરવામાં આવ્યું છે.
૨. અધ્યાત્મસાર સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૯૪૯ શ્લોક પ્રમાણે આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યકત્વ, મિથ્યાત્વ ત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે.
૩. અધ્યાત્મોપનિષદ સંસ્કૃતમાં અનુષુપ છંદના ૨૩૧ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવો સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે તેનું એમાં આધાર સાથે સમર્થન કરવામાં આવ્યું છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તેવા દેવોને અધર્મી કહે છે, તે વાત ખોટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે.
૬. જૈન તર્ક પરિભાષાઃ કર્તાએ ૮૦૦ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (૧) પ્રમાણ (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામના ત્રણ પરિચ્છેદમાં તેમણે તે વિષયનું તર્કયુક્ત નિરૂપણ કર્યું છે.
૭. ગુરુત્ત્વવિનિશ્ચય કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૯૦૫ શ્લોક પ્રમાણનો રચ્યો છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં સાત હજાર શ્લોક-પ્રમાણ ટીકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્ત્વના યર્થાથસ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે.
૮. કાન્નિશદ્ કાત્રિશિકાઃ આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશના માર્ગ, ભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, યોગ, સમ્યગ્દષ્ટિ ઇત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩૨ વિભાગ પાડ્યા છે. તે દરેક વિભાગમાં બત્રીસ શ્લોકની રચના થઈ છે. તેના ઉપર પોતે જ રચેલી ટીકાની શ્લોકસંખ્યા મળીને કુલ ૫૫૦૦
43
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org