SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સુદ ૧૪ના દિવસે પૂર્ણ થાય. એટલે કે ચોમાસા દરમિયાન જ નવું વરસ બેસે. અહીં ભાસકારે ઉપાધ્યાયજીએ સં. ૧૭૪૩નું ચોમાસું ડભોઈમાં કર્યાનું જણાવ્યું છે, પણ એમનો સ્વર્ગવાસ ચાતુર્માસ દરમિયાન થયો કે ચાતુર્માસ પછી, અને ચાતુર્માસમાં હોય તો તે સં. ૧૭૪૩માં થયો કે સં. ૧૭૪૪માં તે વિશે કશું જણાવ્યું નથી. ઉપાધ્યાયજી મહારાજે પોતાની કેટલીક કૃતિઓમાં એની રચના-સાલ જણાવી છે. તેમાં મોડામાં મોડી સં. ૧૭૩૯માં ખંભાતમાં “જંબુસ્વામી રાસની કરેલી રચના મળે છે. આ ઉપરાંત સુરતમાં ચાતુર્માસ દરમિયાન તેમણે રચેલ “પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય અને “અગિયાર અંગ સ્વાધ્યાય' એ બે કૃતિઓમાં એની રચનાતાલ “યુગ યુગ મુનિ વિધુવત્સર’’ એ પ્રમાણે જણાવી છે. તેમાં “યુગ' એટલે ચાર-એમ જો લઈએ તો સં. ૧૭૪૪ થાય અને યુગ” એટલે બે એમ જો લઈએ તો સં. ૧૭૨૨ થાય. પરંતુ અહીં સંવત ૧૭૪૪ લેવી સુસંગત જણાતી નથી, કારણ કે સં. ૧૭૪૩નું ડભોઈનું ચાતુર્માસ એમનું છેલ્લું ચાતુર્માસ હતું, જ્યારે એ બે મોટી સક્ઝાયોની રચના સુરતમાં ચાતુર્માસ દરમિયાન કરી હતી. એટલે જ્યાં સુધી બીજાં કંઈ વધુ પ્રમાણો ન મળે ત્યાં સુધી સં. ૧૭૪૩માં ડભોઈમાં શ્રી યશોવિજયજી મહોપાધ્યાયનો સ્વર્ગવાસ થયો હતો એમ માનવું વધુ યોગ્ય લેખાશે. ઉપાધ્યાયજી મહારાજ કાળધર્મ પામ્યા તે પછી એમના દેહને જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એ સ્થળે સ્મારક તરીકે એક ઘૂંભનીતૂપની રચના કરવામાં આવી. એમાંથી “ન્યાય'નો દિવ્યધ્વનિ સતત નીકળ્યા કરતો હતો એમ “સુજસવેલી ભાસ'માં એના કર્તા શ્રી કાંતિવિજયજીએ લખ્યું છે. સ્વહસ્તે લખેલી પ્રતિઓ અને નયચક્ર મધ્યકાલીન સમયમાં મુદ્રણકળાની શોધ નહોતી થઈ ત્યારે, કાગળ ઉપર શાહીથી લખીને હસ્તપ્રત તૈયાર કરવાનું કામ ઘણું કઠિન ગણાતું હતું. સરસ, મરોડદાર, એકસરખા અક્ષરે હસ્તપ્રતો લહિયાઓ લખી આપતા. ગ્રંથરચના કર્યા પછી સારા 39 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy