________________
કાળધર્મ સં. ૧૭૪૩નું ચાતુર્માસ શ્રી યશોવિજયજી મહારાજે તત્કાલીન સુપ્રસિદ્ધ ઐતિહાસિક નગરી દર્ભાવતી-(ડભોઈ)માં કર્યું હતું. હવે એમની કાયા ક્ષીણ થવા લાગી હતી. એમની લેખિની ચાલતી નહોતી. પરંતુ એમની ધર્મારાધના તો બરાબર ચાલતી હતી. એમને પોતાના અંતિમ કાળની ખબર પડી ગઈ હતી. એમણે અનશનવ્રત સ્વીકારી લીધું હતું. અંતિમ આરાધના સારી રીતે કરીને એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાતમાં અને ગુજરાત બહાર વેગથી પ્રસરી ગયા. એક મહાન વિભૂતિનો નશ્વર દેહ ભૂતકાળમાં વિલીન થઈ ગયો, પરંતુ એમના નશ્વરદેહની જ્યોતિ એટલી જ પ્રકાશતી રહી છે.
શ્રી યશોવિજયજીનો કાળધર્મ ડભોઈમાં થયો હતો તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ તેમના કાળધર્મનો નિશ્ચિત સમય આપણને જાણવા મળતો નથી. એમાં માસ અને તિથિ વિશે કશી જ માહિતી હાલ ઉપલબ્ધ નથી અને વર્ષની બાબતમાં મતભેદ માત્ર એક વર્ષ જેટલો જ અત્યારે તો છે.
ઘણાં વર્ષ સુધી, સં. ૧૭૪૫ (શકે ૧૬ ૧૧)ના માગસર સુદ ૧૧, એ મૌન એકાદશીનો દિવસ શ્રી યશોવિજયજીની કાળધર્મની તિથિ છે એમ મનાતું હતું અને કેટલાંક પંચાંગોમાં એ પ્રમાણે એ તિથિ આપવામાં આવતી હતી. પરંતુ તેમાં ભૂલ હતી. ડભોઈના ગુરુમંદિરની પાદુકાના લેખને આધારે તેમ બનવા પામ્યું હોવાનો સંભવ છે પરંતુ એ પાદુકામાં આપેલાં સાલ-તિથિ ઉપાધ્યાયજીના કાળધર્મના નથી, પરંતુ પાદુકાની પ્રતિષ્ઠાનાં છે. ઘણા વર્ષો પૂર્વે પ્રાપ્ત થયેલ સુજસવેલી ભાસ'ની નીચેની કડીએ તે વિશે સ્પષ્ટ પ્રકાશ પાડ્યો છે :
“સત્તર ત્રયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર ડભોઈ રે;
તિહાં સુરપદવી અણસરી, અણસણિ કરિ પાતક ધોઈ રે.” આમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશોવિજયજી સં. ૧૭૪૩માં ડભોઈમાં ચોમાસું રહ્યા અને ત્યાં અનશન કરી કાળધર્મ પામ્યા. આમાં, અલબત્ત ચોક્કસ માસ-તિથિ જણાવ્યાં નથી. વળી જેન સાધુઓનું ચોમાસું અષાડ સુદ ૧૪ થી શરૂ થઈ કાર્તિક
38
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org