________________
વિનયવિજયજીને કહ્યું, “આપનો રાસ જ્યાંથી અધૂરો છે ત્યાંથી અવશ્ય તે હું પૂરો કરીશ.” એમના આ વચનથી શ્રી વિનયવિજયજીને શાંતિ થઈ. પછી થોડા સમયમાં જ તેઓ કાળધર્મ પામ્યા. ત્યાર પછી શ્રી યશોવિજયજીએ જ્યાંથી બાકી હતો ત્યાંથી શ્રીપાળ રાસ' પૂરો કર્યો. મધ્યકાલીન જૈન સાહિત્યમાં બે સમર્થ કવિઓને હાથે લખાયેલી એક જ કૃતિ તરીકે તે સુપ્રસિદ્ધ છે. શ્રી યશોવિજયજીએ પૂરા હર્ષોલ્લાસ સાથે એ રાસ પૂરો કર્યો હોવાથી તત્ત્વવિચારથી સભર એમની કાવ્યમય વાણીમાં તેમાં કોઈ જૂદું જ રૂપ ધારણ કરે છે.
આ “શ્રીપાળ રાસ” ત્યારથી અદ્યાપિ પર્યત જૈનોમાં આયંબિલની ઓળીના દિવસોમાં વાંચવાની પરંપરા ચાલી આવી છે. ગુરુ-શિષ્ય પરંપરા
શ્રી યશોવિજયજીએ પ્રતિમાશતક' નામની પોતાની કૃતિ ઉપર પોતે જ રચેલી વૃત્તિમાં પોતાની ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે અકબર–પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી એ પરંપરાની શરૂઆત કરી છે. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય શ્રી લાભવિજયજી અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજયજી અને શ્રી નવિજયજીનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નવિજયજીગણિ શ્રી યશોવિજયજીના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજયજીના મોટા ભાઈશ્રી પદ્મવિજયજીએ પણ શ્રી નવિજયજી પાસે જ દીક્ષા લીધી હતી. શ્રી હીરવિજયસૂરિના બીજા બે મુખ્ય શિષ્યો તે શ્રી વિજયસેનસૂરિ અને શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય તે શ્રી વિજયદેવસૂરિ. એમના શિષ્યો તે શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી વિજયપ્રભસૂરિ હતા. શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય હતા.
શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના પોતાના શિષ્યોમાં શ્રી ગુણવિજયગણિ, શ્રી તત્ત્વવિજયગણિ અને શ્રી લક્ષ્મીવિજયગણિ હતા. શ્રી ગુણવિજયગણિની શિષ્ય પરંપરામાં શ્રી કેસરવિજયગણિ, એમના શિષ્ય શ્રી વિનીતવિજયગણિ અને એમના શિષ્ય શ્રી દેવવિજયગણિ હતા.
[37
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org