SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ “અષ્ટપદી'ની રચના કરી. એમના મુખમાંથી કેટલીક પંક્તિઓ સરી પડીઃ મારગ ચલત ગાત, આનંદઘન પ્યારે ! રહત આનંદ ભરપૂર !' ‘સવિજય કહે સુનો આનંદઘન, તુમ હમ મિલે હજૂર.” શ્રીપાળ રાસ'ની રચનામાં સહયોગ જૈન સાહિત્યમાં લોકપ્રકાશ”, “શાંત સુધારસ', “પુણ્ય પ્રકાશનું સ્તવન' વગેરે સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓ વડે જેઓ સુપ્રસિદ્ધ છે એવા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. તેઓ બંને શ્રી હીરવિજયસૂરિના સમુદાયના હતા. શ્રી વિનયવિજયજી ઉમરે મોટા હતા. તેઓ વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસ માટે હતા ત્યારે ત્યાંના સંઘે એમને શ્રીપાળ રાજા વિશે રાસકૃતિ લખવાની વિનંતી કરી. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થા અને કથળતી તબિયતને કારણે એવો મોટો ગ્રંથ લખવાની તેમની ઇચ્છા નહોતી, કારણ કે તે પૂરો થાય કે ન પણ થાય. પરંતુ સંઘનો ઘણો આગ્રહ હતો એટલે તેમણે રાસ લખવાનું શરૂ કર્યું. સિદ્ધહસ્ત કવિઓને કાવ્યપંક્તિઓની રચના કરવી એ બહુ સરળ વાત હોય છે. શ્રી વિનયવિજયજી મહારાજે ઝડપથી રાસની રચના આગળ વધારી, થોડા સમયમાં તો રાસના બે ખંડ પૂરા થઈ ગયા. ત્રીજા ખંડની ચાર ઢાળ લખી ત્યાં તો શ્રી વિનયવિજયજીની તબિયત એકદમ બગડવા લાગી. દિવસો ગણાવા લાગ્યા. પાંચમી ઢાળની વીસ કડી સુધીની રચના થઈ. હજુ આગળ લખવાની ઇચ્છા ઘણી હતી પણ ચિત્તની તેવી સ્વસ્થતા રહી નહોતી. પોતાની આ કૃતિ અધૂરી રહેશે એનો મનમાં કંઈક વિશાદ પણ હશે. એ વખતે શ્રી યશોવિજયજી રાંદેરમાં હતા. શ્રી વિનયવિજયજી તેમના વડીલ કાકાગુરુ થાય. બંને વચ્ચે ઘણી આત્મીયતા હતી. એક દંતકથા પ્રમાણે તેઓ બંને કાશીમાં વિદ્યાભ્યાસ માટે સાથે હતા. શ્રી વિનયવિજયજીના મનમાં હતું કે પોતાનો અધૂરો રહેલો રાસ પૂરો કરવાને સમર્થ ત્યારે એકમાત્ર શ્રી યશોવિજયજી જ હતા. શ્રી યશોવિજયજી એમના મનના એ ભાવને પામી ગયા. એમણે તરત શ્રી 36. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy