SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ કેવી ભાવપૂજા કરવાની હોય છે તેનું યથોચિત રૂપકો દ્વારા પ્રતિપાદન કર્યું છે. જિનમંદિરમાં શ્રાવકો દ્રવ્યપૂજા કરે છે, પણ એ દ્રવ્યપૂજા ભાવપૂજામાં પરિણમવી જોઈએ. એટલે જ દેરાસરમાં જલ, ચંદન, કેસર, પુષ્પ વગેરેથી દ્રવ્યપૂજા કર્યા પછી ચૈત્યવંદનરૂપી ભાવપૂજા અવશ્ય કરવાની હોય છે. જ્ઞાનસાર દ્રવ્યપૂજામાં જલ, કેસર, પુષ્પ વગેરેની પૂજામાં એકેન્દ્રિય જીવોની હિંસાનો દોષ રહેલો હોવા છતાં તેમાં હિંસાનો આશય નથી હોતો, પૂજા માટે ઘરે સ્નાન ક૨વામાં હિંસા રહેલી હોવા છતાં એમાં પણ હિંસાનો આશય નથી હોતો. પૂજા માટે ધારણ કરેલાં સુશોભિત વસ્ત્રો રાગનું કારણ બનતું હોવા છતાં રાગ ક૨વાનો આશય નથી હોતો. આશય હોય છે જિનેશ્વર ભગવાનની પૂજાભક્તિ કરવાનો. વળી દ્રવ્યપૂજા કરનારની કક્ષા શ્રાવકની હોય છે, જેમાં બાળકો અને બાળજીવો પણ હોય છે. તેમને ધર્મમાર્ગે ચડાવવા માટે દ્રવ્યપૂજાનું વિધાન છે. સાધુ મહારાજે પંચ મહાવ્રત ધારણ કરેલાં હોય છે. તેમને સ્નાન કરવાનું નથી. તેવી જ રીતે એમને જળ, કેસર, ચંદન વગેરેથી દ્રવ્યપૂજા કરવાની નથી હોતી. તેઓ હવે શ્રાવકની કક્ષા કરતાં ઊંચે બિરાજે છે અને અહિંસાદિ પાંચ મહાવ્રતના ધારણ કરનાર છે. એટલે જ શ્રાવકો સ્નાનશુદ્ધિ વગર દેરાસરના ગભારામાં દાખલ થઈ શકતા નથી. પરંતુ સાધુ મહારાજ સ્નાન ન કરતા હોવા છતાં ગભારામાં દાખલ થઈ શકે છે. એ એમની ઉચ્ચ ભાવદશા બતાવે છે. મુનિ મહારાજે દ્રવ્યપૂજા કરવાની નથી હોતી, એમ છતાં કોઈ મુનિ મહારાજને એમ થવું ન જોઈએ અને ન જ થાય કે પોતે કશું ગુમાવ્યું છે. એટલા માટે ઉપાધ્યાયજી મહારાજે સરસ પ્રયુક્તિ બતાવતાં કહ્યું છે કે મુનિમહારાજ પોતાની ભાવપૂજાને જ મનથી દ્રવ્યપૂજામાં રૂપાંતરિત કરે તો એમને બે ય લાભ મળે. એ માટે પોતાની કલ્પનાશક્તિ કામે લગાડવી જોઈએ. શ્રાવકની દ્રવ્યપૂજાની થોડીક ક્રિયા જોઈએઃ ૧. શ્રાવક સ્નાન કરે છે. ૨. ઉજ્જવળ વસ્ત્ર ધારણ કરે છે. ૩. તિલક કરે છે. ૪. કેસરમિશ્રિત ચંદન ઘસે છે. ૫. ભગવાનની પ્રતિમાને નવ અંગે પૂજા કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy