________________
૧૨. નિઃસ્પૃહાષ્ટક
૧૭૭.
કિંમતી અલંકારો છે. ચક્રવર્તીના ભોતિક સુખની કોઈ સીમા નથી. આમ છતાં માણસ એક સાથે બધાં વસ્ત્રો પહેરી શકતો નથી, પેટ ભરાય એથી વધુ ભોજન કરી શકતો નથી અને સૂવા માટે છ ફૂટની પથારીથી વધુ જગ્યા રોકી શકતો નથી. સમૃદ્ધિ ગમે તેટલી હોય, તો પણ એનો ભોગવટો શરીર પ્રમાણે હોય છે.
બીજી બાજુ વ્રતધારી સ્પૃહારહિત મુનિને શયન માટે ભૂમિ છે, ભિક્ષાથી મળેલું ભોજન છે અને પહેરવા માટે જૂનું વસ્ત્ર છે. આમ, અન્ન, વસ્ત્ર અને શયન એ ત્રણે એવાં છે કે એમાં મુનિની કોઈ ઇર્ષ્યા કરે એમ નથી. છતાં મુનિ બહુ સુખી છે. કારણ કે એને એથી સંતોષ છે. જે મળ્યું છે તેથી વધુ મેળવવાની સ્પૃહા નથી અને એ સાચવવાની ચિંતા નથી. એ માટે કોઈનું પરાધીનપણું નથી. કોઈના અપશબ્દ સાંભળવાનું કારણ નથી.
મુનિનું સુખ સ્વાધીન સુખ છે. ચક્રવર્તીનું સુખ પરાધીન છે. ચક્રવર્તીને રાજ્ય-વ્યવસ્થાની સતત ચિંતા છે. વસ્ત્રભોજનાદિના વિષયમાં પસંદગીની ઉપાધિ છે. વળી એમાં ન્યૂનાધિકતાના પ્રશ્નો છે. અલબત્ત, ચક્રવર્તીને બધી વાતે અનુકૂળતાઓ છે, પણ તે બાહ્ય અનુકૂળતાઓ છે. પરંતુ એમનું ચિત્ત સતત વ્યસ્ત, વ્યગ્ર, રહ્યા કરે છે. ચક્રવર્તીને મનનો ભાર ઘણો હોય છે. મુનિરાજ મનથી હળવા ફૂલ હોય છે. તે યથેચ્છ તત્કાળ વિહરી-વિચરી શકે છે. એમને પૂર્વ તૈયારીની કોઈ જરૂર હોતી નથી.
કોઈકને પ્રશ્ન થાય કે ખરેખર શું ચક્રવર્તીના સુખ કરતાં મુનિને સુખ વધારે હોઈ શકે ? આ કોઈ કટાક્ષયુક્ત વચન તો નથી ને ?
પરંતુ જેઓએ પહેલાં લક્ષ્મીના ભોગવટાનું સુખ અનુભવ્યું હોય અને પછી ત્યાગવૈરાગ્યનું સુખ અનુભવ્યું હોય અને પછી આત્મસ્વભાવની રમણતાનું સુખ અનુભવ્યું હોય તેવા મહાત્માઓ તો અવશ્ય કહેશે કે પૂર્વે પોતે ગૃહસ્થ તરીકે જે સુખ અનુભવ્યું હતું તેના કરતાં મુનિ તરીકેનું પોતાનું વર્તમાન સુખ અનેકગણું ચડિયાતું છે. સુખ અને સુખમાં ફરક છે. ઇન્દ્રિયોના સુખ કરતાં મનનું સુખ ચડિયાતું છે એ સૌ જાણે છે. પણ મનના સુખ કરતાં આત્માનું સુખ વધુ ચડિયાતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org