________________
૧૭૮
જ્ઞાનસાર
છે એ તો અનુભવે જ વધુ સમજાય એવી વાત છે. એટલે ઇન્દ્રિયસુખ, ચિત્તસુખ અને આત્મસુખ એ ત્રણેની જાત ભિન્ન ભિન્ન છે.
અતિશય ધનવૈભવ અને બહોળા સ્વજન પરિવારવાળી વ્યક્તિ પણ વૃદ્ધાવસ્થામાં જ્યારે મૃત્યુ નજીક આવતું દેખાય છે ત્યારે આ બધું જ મારે છોડીને જવાનું છે?' એવા વિચારથી ઉદ્વિગ્ન થાય છે. એમાં પણ જ્યારે સંતાનોમાં સંપત્તિની વહેંચણીના પ્રશ્નો ઉગ્ર કલહરૂપ બની જાય છે, કલેશ કંકાસ વધી જાય છે ત્યારે ધનસંપત્તિ અને આશીર્વાદરૂપ નહિ પણ શાપરૂપ લાગે છે અને તે મેળવવા માટે પોતે જે વર્ષો વેડફી નાખ્યાં એ માટે પશ્ચાત્તાપ અનુભવે છે. મુનિરાજ પાસે વારસામાં આપી જવા માટે, પોતાના ગયા પછી છોડી જવા માટે સ્થૂલ ખાસ કશું હોતું નથી કે વહેંચણીના પ્રશ્નો એમને સતાવતા નથી. જીવનની અંતિમ ક્ષણ સુધી તેઓ નિરાબાધ સુખ અનુભવે છે.
ધનાદિ વૈભવ સાથે, તે મેળવવા સાચવવા વગેરે અંગે પૂલ અને સૂક્ષ્મ પ્રકારની હિંસા, અસત્યાદિ પાપપ્રવૃત્તિઓ સંકળાયેલી હોય છે. અકિંચન ભિક્ષુને એવી પાપપ્રવૃત્તિ આચરવાની હોતી નથી. તે તો નિજાનંદમાં મસ્ત રહે છે.
ચક્રવર્તી તથા એવા શ્રીમંતો જે બાહ્ય સુખ અનુભવે છે તે વિનશ્વર છે, તે બાહ્ય ઉપાધિથી મળે છે. તે સુખ પુદગલ પદાર્થોમાંથી મળે છે. તે આરોપિત સુખ છે. એ સુખની ધારામાં સાતત્ય હોતું નથી. આત્માનું સુખ તે આરોપિત સુખ નથી. એની ધારા અવિચ્છિન્નપણે વહે છે. તે સુખ નિરંતર છે. પરભાવ અને પરપદાર્થના સુખ કરતાં આત્મસ્વભાવની નિમગ્નતાનું સુખ ચડિયાતું છે. આત્મરતિના અનુભવ વિના આ વાત સરળતાથી સમજાય એવી નથી. એટલે જ કહ્યું છેઃ
तिणसंथारनिसन्नो मुणिवरो भट्टरागमयमोहो ।
जं पावइ मुत्तिसुहं कत्तो तं चक्कवट्टी वि ।। તૃિણના સંથારા પર બેઠેલા અને જેમણે રાગ, મદ અને મોહનો નાશ કર્યો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org