________________
૧૨. નિઃસ્પૃહાષ્ટક
એવા મુનિવર જે મુક્તિસુખ (નિસ્પૃહતાનું સુખ) પામે છે એને ચક્રવર્તી પણ ક્યાંથી પામે ?]
[૯૬] પરસ્પૃહા મહાદુ:સ્તું નિ:સ્પૃહત્વ મહામુહમ્ ।
તનુાં સમાયેન લક્ષાં સુવવું:હોઃ ।। ૧૨ ।।૮।।
[ શબ્દાર્થ: પરસ્પૃહા=૫૨ વસ્તુની ઇચ્છા; મહાદુ:=મહાદુ:ખરૂપ છે; નિ:સ્પૃહત્સં=નિઃસ્પૃહપણું; મહાયુદ્ધ=મોટું સુખ; ત=એ; આ; i=કહ્યું છે; સમાસેન=સંક્ષેપથી; લક્ષણં=લક્ષણ; સુવવું:જીયો:=સુખ અને દુઃખનુ.]
૧૭૯
અનુવાદ–પરની સ્પૃહા એ મહાદુઃખ છે અને નિ:સ્પૃહપણું એ મહાસુખ છે. સુખ અને દુઃખનું સંક્ષેપથી આ લક્ષણ કહ્યું છે. (૮)
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ આ અષ્ટકના સારરૂપે આ શ્લોકમાં કહે છે કે સુખદુઃખનું લક્ષણ સંક્ષેપમાં કહેવું હોય તો કહેવાય કે પરસ્પૃહા એ મહાદુઃખ છે અને નિઃસ્પૃહત્વ એ મહાસુખ છે.
સંસારમાં સુખદુઃખ વિશેનો ખ્યાલ બધા મનુષ્યોનો એકસ૨ખો નથી. વળી સાંસારિક સુખદુઃખ સાપેક્ષ છે. એક કોટ્યાધિપતિને પાંચપચીસ રૂપિયાની પ્રાપ્તિ એ કોઈ મોટા આનંદની વાત નથી, પરંતુ એક ભિખારી કે સાવ ગરીબ માણસ માટે એટલી રકમની પ્રાપ્તિ પણ અતિશય આનંદનું કારણ બની રહે છે. તેવી જ રીતે એટલી રકમ ખોવાઈ ગયાનું નુકસાન કોટ્યાધિપતિને કાન ખજૂરાના એક પગ કરતાં પણ ઓછું લાગે છે, પણ નિર્ધન માણસને એ મોટા સંતાપનું કારણ બની રહે છે.
Jain Education International
વળી ભૌતિક ઇન્દ્રિયાર્થ સુખ સામાન્ય માનવી માટે મહત્ત્વનું ગણાય છે, પરંતુ અધ્યાત્મરસિક જ્ઞાનીઓ માટે તે તુચ્છ, નિરર્થક અને ત્યાજ્ય ગણાય છે. આમ કોઈ એક પદાર્થમાં એકને સુખ લાગે તે જ પદાર્થ બીજાને દુઃખનું નિમિત્ત બની
For Personal & Private Use Only
www.jainelibrary.org