________________
૧૭૬
જ્ઞાનસાર
મહાત્માઓની આવી ઉચ્ચ દશા હોય છે.
સાચા સાધુભગવંતો પ્રસિદ્ધિ-પ્રતિષ્ઠાથી પર હોય છે. બીજાઓએ કરેલી પોતાની કદર એ પણ જેઓને માટે તૃણવતુ હોય તેઓ સ્વમુખે આત્મપ્રશંસા તો કરી જ કેમ શકે? આ બધી ક્ષણિક વસ્તુઓનું પારમાર્થિક દૃષ્ટિએ કશું જ મૂલ્ય નથી એમ તેઓ સમજે છે. વસ્તુતઃ આવી બાહ્ય પ્રસિદ્ધિઓ તો સાધનામાં બાધક બને છે.
સાચા નિઃસ્પૃહ, નિરીહ મહાત્માઓ સ્વમુખે પોતાની સિદ્ધિપ્રસિદ્ધિનો કશો નિર્દેશ ક્યારેય કરતા નથી. એ ગોપવવામાં જ તેઓ માને છે. [૯૫] મૂચ્યા ક્ષમશનં ની વાતો વૃદં વનમ્
तथाऽपि नि:स्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ।।१२।।७।। [શબ્દાર્થ મૂશળ્યા=પૃથ્વીરૂપી શવ્યા, જમીન પર સૂઈ જવું, “Í=ભિક્ષાથી મળેલ; મશ=ભોજન; નીf=જૂનું; વાસ:=વસ્ત્ર, પૃદં=ઘર; વનષ્ણવનરૂપી, અરણ્યરૂપી; તથાપિzતથા+પતો પણ; નિ:સ્પૃશ્ય સ્પૃહારહિત મુનિને; મહો=અહો, આશ્ચર્ય છે કે; વક્રિપોf=ચક્રવર્તી કરતાં પણ; ધજૈ=અધિક, વધુ; ગુરવં=સુખ છે.]
અનુવાદ-નિઃસ્પૃહ મુનિને પૃથ્વીરૂપી શય્યા, ભિક્ષાથી મળેલું ભોજન, જૂનું વસ્ત્ર અને વનરૂપી ઘર હોય છે, તો પણ આશ્ચર્ય છે કે ચક્રવર્તી કરતાં પણ તેને અધિક સુખ હોય છે. (૭)
વિશેષાર્થ અહીં એક બાજુ ચક્રવર્તીનું સુખ અને બીજી બાજુ મુનિનું સુખ એ બેની તુલના કરીને બતાવ્યું છે કે મુનિનું સુખ ચક્રવર્તીના સુખ કરતાં પણ ચડિયાતું
ચક્રવર્તી છ ખંડનો ધણી છે. એના સામ્રાજ્યમાં એની ઇચ્છા પ્રમાણે બધું થાય છે. એની પાસે ચતુરંગ સેના છે, લક્ષ્મી છે, રત્નો છે, દાસદાસીઓ છે, સ્ત્રીરત્નસહિત છન્નુ હજાર રાણીઓ છે. વિવિધ પ્રકારનાં પકવાન સહિત ભાતભાતની ભોજનસામગ્રી છે. વિવિધ પ્રકારનાં સુશોભિત વસ્ત્રો છે. અત્યંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org