________________
૧૨. નિઃસ્પૃહાષ્ટક
૧૭૫
મોટા સાધુમહાત્માને નગરના અનેક લોકો વંદન કરવા આવે છે, એમનું ગોરવ કરે છે. કેટલાક રાજવીઓ, મંત્રીઓ પણ તેમની વ્યાખ્યાનસભામાં પધારે છે. એમની જરૂરિયાતો માટે, યોજનાઓ માટે નાણાં લખાવે છે. એથી મહાત્માઓની છાતી ફૂલે છે. ક્યારેક એથી અહંકારયુક્ત વચનો પણ નીકળે છે. પરંતુ સાચા મુનિવરો આવી પ્રસિદ્ધિથી પોતાની શક્તિ-સાધનાનું માપ કાઢતા નથી. તેઓ તો પોતાના આત્મસ્વરૂપમાં જ મગ્ન રહે છે. આ બધી બહારની માત્ર માયા છે, પુદ્ગલાનંદનું સ્વરૂપ છે એમ તેઓ સમજે છે અને તેમાંથી પોતાના ચિત્તને નિવૃત્ત કરી દે છે.
એક દૃષ્ટાન્ત અપાય છે કે એક કોટ્યાધિપતિ માણસ દીક્ષા લઈ સાધુ બન્યા. પછી બીજાઓને ઉપદેશ આપવા માટે તેઓ વ્યાખ્યાનમાં વારંવાર કહેતા રહે કે “જુઓ, હું તો પાંચ કરોડની સંપત્તિને લાત મારીને નીકળી ગયો છું.” જ્યારે એમના ગુરુ ભગવંતે આ વાતનું બરાબર અવલોકન કર્યું ત્યારે એક દિવસ એમણે એ શિષ્યને પ્રેમભાવથી કહ્યું, “ભાઈ, તમે પાંચ કરોડની સંપત્તિને લાત મારીને નીકળી ગયા છો, પણ એ લાત જોઈએ એવી બરાબર લાગી નથી. એટલે એ સંપત્તિ તમને વળગેલી રહે છે અને રોજ વ્યાખ્યાનમાં તમારી પાસે આવીને બેસી જાય છે. હવે એટલી જોરથી લાત મારો કે ફરી સ્મૃતિરૂપે પણ એ તમારી પાસે ન આવે. ગુરુ ભગવંતની આ માર્મિક ટકોર શિષ્ય તરત સમજી ગયા. ઝાંઝરિયા મુનિવરનું દષ્ટાન્ત જાણીતું છે. પ્રતિષ્ઠાનપુરના રાજકુમાર મદનબ્રહ્મકુમારદીક્ષા લઈ સાધુ બને છે. એમના બનેવી કંચનપુરના રાજા તલવાર લઈ એમનો વધ કરવા આવે છે. ઝાંઝરિયા મુનિવર સંસારીપણામાં પોતાના સાળા થાય એ વાતની એમને ખબર નથી. પરંતુ ઝાંઝરિયા મુનિવરે જો તે વખતે સાંસારિક સંબંધ યાદ કરાવ્યો હોત તો વધને બદલે એમનું બહુમાન થયું હોત. પરંતુ એમણે પોતાનો સાંસારિક સંબંધ પ્રગટ ન કર્યો અને વધુ સ્વીકાર્યો. દેહથી પર થયેલા, દેહ સાથે ભિન્નતા અનુભવતા અને આત્મસ્વભાવનું સુખ અનુભવતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org