________________
મળતી નથી. એમના બાળપણના દિવસો વિષે માત્ર એક દંતકથા નોંધાયેલી મળે છે. એ દંતકથા પ્રમાણે એમની માતા સોભાગ્યદેવીએ એવો નિયમ લીધો હતો કે રોજ સવારે ‘ભક્તામર સ્તોત્ર સાંભળ્યા પછી જ ભોજન કરવું. પોતાને એ સંસ્કૃત સ્તોત્ર આવડતું નહિ, એટલે બીજા પાસેથી તેઓ સાંભળતા. ચાતુર્માસમાં તેઓ રોજ ઉપાશ્રયમાં જઈ ગુરુમહારાજ પાસે આખું “ભક્તામર સ્તોત્ર' સાંભળતાં. તેઓ પોતાની સાથે નાના બાળક જશવંતને પણ ઉપાશ્રયે લઈ જતાં. એક વખત શ્રાવણ મહિનામાં સતત મુશળધાર વર્ષા ચાલ્યા કરી. રસ્તાઓમાં પાણી ભરાઈ ગયાં, તેથી સૌભાગ્યદેવી ગુરુમહારાજ પાસે જઈ “ભક્તામર સ્તોત્ર' સાંભળી શક્યા નહિ. એવી રીતે એક દિવસ નહિ પણ ત્રણ ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડતો રહ્યો. એથી સૌભાગ્યદેવીને ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે સવારે પણ વરસાદ બંધ ન રહેવાને લીધે સૌભાગ્યદેવીએ જ્યારે કશું ખાધુ નહિ ત્યારે બાળક જશવંતે કુતૂહલવશ સહજ એનું કારણ પૂછ્યું. માતાએ “ભક્તામર સ્તોત્ર' સાંભળીને જ ભોજન લેવાના પોતાના નિયમની વાત કરી.
એ વખતે જશવંતે માતાને કહ્યું કે પોતાને “ભક્તામર સ્તોત્ર' આવડે છે, એ જાણી માતાને આશ્ચર્ય થયું. બાળક જશવંતે જરા પણ ભૂલ વગર માતાને ‘ભક્તામર સ્તોત્ર' સંભળાવ્યું. એથી માતા સૌભાગ્યદેવીને અપાર હર્ષ થયો. એમણે અઠ્ઠમનું પારણું કર્યું. બાળક જશવંત રોજ માતા સાથે ગુરુમહારાજ પાસે જતો અને “ભક્તામર સ્તોત્ર' સાંભળતો તે એણે કંઠસ્થ કરી લીધું હતું. બાળકની આવી અદ્ભુત સ્મરણશક્તિની વાત ગુરુમહારાજે જ્યારે જાણી ત્યારે તેમણે પણ બાળક જશવંતની શક્તિ અને તેજસ્વિતા માટે પોતાનો આનંદ દર્શાવ્યો. વિદ્યાભ્યાસ માટે કાશીમાં
દીક્ષા લીધા પછી પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી ગણિ પાસે મુનિશ્રી યશોવિજયજીએ અગિયાર વર્ષ સુધી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો, વ્યાકરણ, છંદ, અલંકાર તથા કોષની અને કર્મગ્રંથ ઇત્યાદિ શાસ્ત્રગ્રંથોનો સતત અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ-પ્રતિભા તેજસ્વી હતી જ અને તેમની સ્મૃતિશક્તિ પણ એટલી
22
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org