________________
જ બળવાન હતી. વિ. સં. ૧૬૯૯માં પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી સાથે મુનિ શ્રી યશોવિજયજી રાજનગર-અમદાવાદ નગરમાં પધાર્યા હતા. ત્યાં આવીને તેમણે અમદાવાદના સંઘ સમક્ષ, ગુરુ મહારાજની હાજરીમાં, આઠ મોટાં અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. આ અવધાનમાં આઠ સભાજનોની દરેકે કહેલી કે બતાવેલી આઠ આઠ વસ્તુઓ યાદ રાખી લઈને પછી અનુક્રમે એ ૬૪ વસ્તુઓ કહી બતાવવાની હોય છે. એમના આ અદ્ભુત પ્રયોગથી ઉપસ્થિત જનસમુદાય આશ્ચર્યમુગ્ધ બની ગયો. એમની આવી બુદ્ધિ અને સ્મરણશક્તિની પ્રશંસા ચોતરફ થવા લાગી. એમાંના ધનજી સૂરા નામના એક શ્રેષ્ઠીને શ્રીયશોવિજયજીની આવી આશ્ચર્યજનક અભુત સ્મરણશક્તિ પ્રત્યે અહોભાવ થયો. તેમણે ગુરુમહારાજશ્રી નયવિજયજીને વિનંતી કરતાં કહ્યું, “ગુરુદેવ ! શ્રી યશોવિજયજી વિદ્યાજ્ઞાન મેળવવા માટે યોગ્ય પાત્ર છે. એમને જો ભણાવવામાં આવે તો તેઓ બીજા હેમચંદ્રાચાર્ય થાય. જો કાશી જઈ છ દર્શનોનો અભ્યાસ કરે તો તે વડે જૈન દર્શનને તેઓ વધારે ઉજ્જવળ બનાવે.”
ગુરુમહારાજે કહ્યું, “ભાઈ ! કાશી જઈ અભ્યાસ કરવાની વાત ઘણી સારી છે અને અમારી પણ એવી ભાવના છે, પરંતુ તે માટે ધનની જરૂર પડે એમ છે, કારણ કે કાશીના પંડિતો પૈસા વગર કોઈને ભણાવતા નથી.”
ધનજી સૂરાએ તરત ઉત્સાહપૂર્વક કહ્યું, “ગુરુમહારાજ ! એ માટે આપ ચિંતા ન કરશો. વિદ્યાભ્યાસ માટે ચાંદીના બે હજાર દીનારનું ખર્ચ હું આપીશ અને પંડિતનો પણ યથાયોગ્ય સત્કાર કરીશ.” “સુજસવેલી ભાસ'માં લખ્યું છે :
ધનજી સૂરા સાહ, વચન ગુરુનું સુણી હો લાલ. આણી મન દીનાર, રજતના ખરચર્યું હો લાલ,
પંડિતને વારંવાર, તથાવિધિ અરચણ્યું હો લાલ. આમ ખર્ચની બાબતમાં શેઠ ધનજી સૂરા તરફથી સંમતિ મળતાં અને વ્યવસ્થા | થતાં ગુરુમહારાજ શ્રી નવિજયજીએ પોતાના શિષ્ય મુનિ શ્રી યશોવિજયજી
23 -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org